Loksabha election પહેલા Gujaratમાં ગરમાયું રાજકારણ! BJPના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ પરથી આપ્યું રાજીનામું પરંતુ..., આ વખતે ભાજપના ધારાસભ્યનો નંબર!


  • Published By :
  • Published Date : 2024-03-19 11:21:26

ધારાસભ્યો માટે રાજીનામું આપવું જાણે સામાન્ય થઈ ગયું છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટી અને અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. 6 ધારાસભ્યો પોતાનું પદ છોડી ચૂક્યા છે ત્યારે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી માહિતી સામે આવી છે કે વિધાનસભા અધ્યક્ષને મધરાત્રે 2.30 વાગ્યે રાજીનામું મોકલી દીધું હતું પરંતુ વિધાનસભા અધ્યક્ષે આ રાજીનામું સ્વીકાર્યું નથી.

Image

5 વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી 

7 માર્ચે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની સાથે સાથે ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. 6 બેઠકો ખાલી થઈ છે પરંતુ ચૂંટણી 5 બેઠકો માટે યોજાવાની છે કારણ કે વિસાવદર અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે 6 ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે તે કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, તેમજ અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય હતા. પદ ઉપરથી રાજીનામું આપી, પક્ષને અલવિદા કહી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા ત્યારે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવાની છે તેવી માહિતી સામે આવી છે. જે ધારાસભ્ય રાજીનામું આપવાના છે તે કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટીના નથી પરંતુ તે ભાજપના જ છે. 


ભાજપના જ ધારાસભ્ય આપી રહ્યા છે પદ પરથી રાજીનામું !

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઈનામદાર ભાજપના સાવલીના ધારાસભ્ય છે. મધરાત્રે 2.30 વાગ્યે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યું હતું. એવી માહિતી સામે આવી છે કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામુ સ્વીકાર્યુ નથી. મહત્વનું છે કે ભાજપના કોઈ પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. જો વિધાનસભા અધ્યક્ષ ધારાસભ્યનું રાજીનામું સ્વીકારી લેશે તો ભાજપની 156 સીટોમાંથી 155 થઈ જશે. 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ અંતર આત્માનો અવાજ સાંભળી રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું છે 


રંજનબેન ભટ્ટના નામની જાહેરાત બાદ શરૂ થયા આંતરિક ડખા!

વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટના નામની જાહેરાત પછી વડોદરા ભાજપમાં વિખવાદ શરૂ થયો હતો વાતો એવી પણ થઈ રહી છે કે કેતન ઈનામદારના પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત કરી છે કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં તેઓ નારાજ થયા હતા. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઈનામદાર ચૂંટણી લડ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજગી હતી. જોકે થોડા દિવસ પહેલા મહિલા મોરચાના જ્યોતિ બેન રંજન બેન સામે મેદાને ઉતાર્યા હતા અને પછી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તે વખતે જ્યોતિબેન દ્વારા પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.  


રાજીનામું આપ્યા પાછળનું કારણ અકબંધ!

હવે કેતન ઈનામદારની વાત કરીએ તો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078 જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતા. હવે કેતન ઈનામદાર મીડિયા સમક્ષ કઈ ખુલાસો કરે તો ખ્યાલ આવે કે રાજીનામાંનું અસલી કારણ શું છે? પ્રશ્ન એ પણ થાય કે કોંગ્રેસના, આપના કે અપક્ષના નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં જોડાય છે ત્યારે શું કેતન ઈનામદાર કોઈ બીજી પાર્ટીમાં જોડાવાના છે?  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.