ડેડિયાપાડામાં ગરમાયું રાજકારણ, મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે છેડાયો પત્રને લઈ વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-29 11:14:50

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના 26 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારવાની છે તેવી જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે ડેડીયાપાડામાં રાજકારણ ગરમાયું છે. થોડા સમય પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક લેટર લખ્યો હતો જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નર્મદાના ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તાની વસૂલી કરે છે. ત્યારે  આ પત્રને લઈ ચૈતર વસાવા પણ સામે આવ્યા છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રિત કર્યા છે.


હપ્તા વસૂલી અંગે પત્રને લઈ મનસુખ વસાવા આકરા પાણીએ!

ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમના દ્વારા લખવામાં આવેલા પત્રો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં અનેક મોટા નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તો ઉઘરાવતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં ભાજપના નેતા, કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓના નામનો ઉલ્લેખ હતો. આ અંગે મનસુખ વસાવાએ કહ્યું કે પત્રનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે. જે નકલી પણ હોઈ શકે છે એટલે કંઈ કહી શકાતું નથી. પણ મને મળેલો આ પત્ર લોકોમાં ચર્ચાયો છે. નર્મદા જિલ્લાના કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓને ધાકધમકી આપી પૈસાની ખંડણી કરવામાં આવે છે. પત્રમાં અનેક લોકોના નામો પણ હતા. ત્યારે આ વાતને લઈ ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે કારણ કે પત્રમાં તેમનું પણ નામ હતું.

અમારા પર પાયાવિહોણા આક્ષેપ કરાયા છે - ચૈતર વસાવા 

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચેલેન્જ કરી છે. જાહેરમાં ચર્ચા કરવા મનસુખ વસાવાને ચૈતર વસાવાએ આમંત્રિત કર્યા છે. જે પત્ર લખવામાં આવ્યો છે. તેમણે લખ્યું કે મનસુખ વસાવાની આગળ પાછળ ફરવાવાળોઓના ઈશારે નર્મદા જિલ્લામા બજેટનું આયોજન બારોબાર સગેવગે થતું હોય છે. આ બાબતે ખુલાસો માંગતા આ ભ્રષ્ટાચારનો રેલો સમગ્ર ટ્રાઈબલ વિસ્તારમાં જવાનો હોય ત્યારે પોતાના મળતિયાઓને બચાવવામાં અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. ઉપરાંત એક વીડિયો પણ ચૈતર વસાવાએ પોસ્ટ કર્યો છે.     

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.