ગેનીબેન ઠાકોરના નિવેદનથી ગરમાયું રાજકારણ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:57:15

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. દિવસો નજીક આવતા આરોપ પ્રતિઆરોપ થવા એને હવે સામાન્ય વાત માનવામાં આવે છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તો વાક યુદ્ધ ચાલતું રહે છે ત્યારે હવે કોંગ્રેસ પણ ભાજપ પર પ્રહાર કરી રહી છે. સચિવાલયમાં લાગેલી આગ પર રાજનીતિ ગરમાઈ રહી છે. તેમણે કહ્યું કે સચિવાલયમાં આગની ઘટના ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે.

ભાજપ ચૂંટણીથી ભાગી રહ્યું છે - ગેનીબેન

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર થઈ છે પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં નથી આવી. આ મુદ્દા પર વાત કરતા તેમણે કહ્યું કે ચૂંટણીથી ભાજપ ભાગી રહ્યું છે. હજી ભાજપની ફેવરમાં વાતાવરણ નથી થયું. જેને કારણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપને હજુ વાયદા આપવાના બાકી હશે, જેથી ચૂંટણીની તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ લડવા તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે આ વખતે 125 સીટો સાથે સરકાર બનાવીશું.

નિવેદન@બનાસકાંઠા: સચિવાલયમાં આગની ઘટના ઈરાદા પૂર્વકનું કૃત્ય, કોંગ્રેસ 125  બેઠકો સાથે સરકાર બનાવશે: ગેનીબેન ઠાકોર

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા કટાક્ષ

ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપ પોતાના પ્રચાર કરી રહી છે. પોતાના કામો લોકો સુધી પહોંચાડવા આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હમેશાં કોંગ્રેસ ભાજપની ગૌરવ યાત્રા પર પ્રશ્ન ઉઠાવતું આવ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ભાજપની સરકારે ગૌરવ લઈ શકે એવું એક પણ કામ નથી કર્યું. સરકારે બનાસકાંઠા માટે અનેક જાહેરાતો તો કરી પરંતુ એક પણ યોજનાનું અમલીકરણ નથી થયું.      



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.