Congress કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ ગરમાઈ રાજનીતિ! Rahul Gandhiએ કરી ટ્વિટ તો Jignesh Mevaniએ કહી આ વાત..


  • Published By :
  • Published Date : 2024-07-03 15:15:31

રાહુલ ગાંધીએ સંસદમાં એક ભાષણ આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાઈ ગયો છે.. ગઈકાલે ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર બજરંગ દળ તેમજ VHPના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી.. ગઈકાલે ભાજપની યુવા પાંખ મોરચાના સભ્યો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. તે વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા.. તોડફોડ બાદ સમાચાર સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો. 

કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને લઈ રાહુલ ગાંધીએ કરી આ ટ્વિટ

અંદાજીત 30 મિનીટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો... અંતે પોલીસ આવી અને કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી જેમાં અનેક MLA પણ હતા તેવા સમાચાર સામે આવ્યા. આ તોડફોડ બાદ રાહુલ ગાંધી દ્વારા એક ટ્વિટ કરવામાં આવી.. જેમાં તેમણે કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલા વિશે વાત કરી. ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે. તે સિવાય રાહુલ ગાંધીએ ફરી એક વખત જણાવ્યું કે ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે.


જીગ્નેશ મેવાણીએ કરી આ પોસ્ટ

આ મામલે જીજ્ઞેશ મેવાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે સરકારના પગ ચાટવામાં ગુજરાત પોલીસ ટોચ પર છે. પ્રામાણિકપણે પોતાનું કામ કરતા કેટલાક સારા પોલીસકર્મીઓને કદાચ આ ન ગમે, પરંતુ હવે પોલીસની આ છબી છે. ગઈકાલે કોંગ્રેસના કાર્યકરો પર પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે પોલીસ સ્પષ્ટપણે એકતરફી કાર્યવાહી કરતી જોવા મળી હતી. પોલીસ કોંગ્રેસના કાર્યાલયમાં ઘૂસીને પાંચ ટર્મના ધારાસભ્યને ગલીના ગુંડાઓની જેમ ખેંચી જતી જોવા મળી હતી, જ્યારે પોલીસ ભાજપના ગુંડાઓને રોકવાનો પ્રયાસ પણ કરી રહી ન હતી.આવા સંજોગોમાં ન્યાયની કોઈ આશા રાખી શકાય? ત્યારે તમારૂં આ મામલે શું  કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે