રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં લગાવ્યું એડીચોટીનું જોર, જનસભા અને રોડ-શોનું કરાયું હતું મોટાપાયે આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-04 11:55:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 3 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અનુસાર બે તબક્કામાં મતદાન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જ્યારથી મતદાનની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારથી ચૂંટણી પ્રચાર પણ તેજ બની ગયો હતો. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં રેલી તેમજ સભાઓ સંબોધતા હતા. ત્યારે છેલ્લા એક મહિનામાં પીએમ મોદીએ 30 જનસભા સંબોધી છે જ્યારે અમિત શાહે અંદાજીત 35 જેટલી જનસભા સંબોધી છે. અરવિંદ કેજરીવાલે 19 સભામાં ભાગ લીધો છે જ્યારે રાહુલ ગાંધીએ માત્ર બે જનસભા સંબોધી છે.  

Image

Image

ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા  

પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે યોજાવાનું છે.  પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે આ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા દરેક પાર્ટીએ અને  નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ગુજરાતમાં ઉતારી દીધા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ. યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરતા હતા. 

Image

Image

આમ આદમી પાર્ટીએ કર્યો પ્રચાર

આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રચાર કરવામાં કસર નથી છોડી. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા ગુજરાત આવ્યા હતા. બીજા તબક્કા પહેલા આમ આદમી પાર્ટીએ હરભજન સિંહને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ઉપરાંત ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ-શો યોજ્યો હતો. 

Image

મતદારો  પર પ્રચારની કેટલી અસર થશે? 

ગાંધી પરિવારે પોતાને ગુજરાત ચૂંટણીથી દૂર રાખ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ગુજરાતમાં પ્રચાર કરવા નતો પ્રિયંકા ગાંધી આવ્યા નતો સોનિયા ગાંધી આવ્યા. રાહુલ ગાંધીએ માત્ર બે સભા યોજી હતી. પરંતુ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મલ્લિકાર્જન ખડગે ગુજરાત આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. નેતાઓ દ્વારા કરવામાં આવેલો આ પ્રચાર મતદારોને કેટલો સફળ થાય છે તે પરિણામના દિવસે ખબર પડશે.      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!