પોલીસ ભરતીના નવા નિયમોને લઈ આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક, જાણો ભરતી પ્રક્રિયામાં શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-11-10 15:55:54

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ભરતનો પટારો ખોલ્યો છે. ગુજરાતના પોલીસ વિભાગમાં લગભગ 12 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર હવે આ જગ્યાઓ ભરવા માટે ભરતી શરૂ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રી નિવાસસ્થાન પર યોજાનારી આ બેઠકમાં પોલીસ ભરતી બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પોલસ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પધ્ધતી અંગે નવા નિયમો બનાવવા પર ચર્ચા-વિચારણા કરશે. આ ઉચ્ચકક્ષાની બેઠકમાં ભરતીના તમામ નિયમોને આખરી ઓપ અપાયા બાદ ટૂંક સમયમાં જ ભરતી અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર કોઈ પણ ઉમેદવાર કોચિંગ ક્લાસીસમાં ગયા વગર પણ પરીક્ષા આપી શકે તે પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરવા માગે છે.  


બેઠકમાં કયા મુદ્દે થશે વિચાર-વિમર્સ


રાજ્ય સરકાર તમામ સરકારી નોકરીઓ માટે ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવા માંગે છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે તેમના નિવાસ સ્થાને યોજાનારી મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી ભરતી પ્રક્રિયા, RR સુધારણા, એકસમાન અથવા એક જ શારરિક કસોટી, સમાન અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અને પરીક્ષા પદ્ધતિ અંગે ગહન ચર્ચા વિચારણા થશે. બેઠક બાદ ભરતી મુદ્દે સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે. 


કોચિંગ ક્લાસનો છેદ ઉડી જશે


ગુજરાતના પોલીસ વિભાગમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે જ કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈ CMની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

22 હજાર જેટલી જગ્યાઓ ખાલી 


પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. પોલીસને લગતી બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!