લાફાકાંડ બાદ Banaskanthaથી Gandhinagar તરફ આવી રહેલા ખેડૂતોને પોલીસે રોક્યા, સાંભળો અમરાભાઈએ સરકારને શું આપી ચીમકી?


  • Published By :
  • Published Date : 2023-08-16 13:22:09

ન્યાયની આશા સાથે બનાસકાંઠાથી નીકળેલા ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. થપ્પડકાંડ બાદ ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી માગ સાથે ખેડૂતો આગળ વધી રહ્યા છે. 18 ઓગસ્ટના રોજ ગાંધીનગર પહોંચવાનો ખેડૂતોનો પ્લાન છે. ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસના કાફલાએ તેમની રેલીને રોકી દીધી છે. આજે ખેડૂતોની યાત્રાનો સાતમો દિવસ છે અને યાત્રા મહેસાણાના ગોઝારિયા ખાતે પહોંચી હતી પરંતુ ત્યાં પોલીસના કાફલાએ તેમને આગળ જતા રોકી દીધા છે. અમરાભાઈએ સરકારને ચીમકી આપી છે. 

શંકરચૌધરીએ આપ્યું હતું આ નિવેદન 

બનાસકાંઠાથી નીકળેલી યાત્રામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત લાખોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. અમરાભાઈએ સરકારને વિનંતી કરી છે. તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે અમારા આ ખેડૂતની વેદના સમજે, અને અમને ન્યાય આપે. એમાં જ ગુજરાત સરકારની ભલાઈ છે. મહત્વનું છે કે થપ્પડકાંડ બાદ ખેડૂતોએ ન્યાય યાત્રા શરૂ કરી છે. લાફાકાંડ મામલે ધારાસભ્ય કેશાજી ચૌહાણે નિવેદન આપ્યું હતું અને આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. તે ઉપરાંત શંકરસિંહ ચૌધરીએ પણ લાફાકાંડને લઈ નિવેદન આપ્યું હતું અને આ મામલે ધારાસભ્યનું રાજીનામું ન લેવાય તેવી વાત કરી હતી. 


ખેડૂતોને સાથ આપવા આવી રહ્યા છે રાકેશ ટીકૈત 

મહત્વનું છે જ્યારે મહેસાણા ખાતે ખેડૂતોની રેલી પહોંચી હતી ત્યારે જમાવટની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. ખેડૂતો એકદમ આક્રામક દેખાયા હતા. ગાંધીનગર ખાતે 18 ઓગસ્ટે તેઓ પહોંચવાના છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ ખેડૂતોની રેલીમાં સામેલ થવા ગુજરાત આવી શકે છે. ખેડૂતોના સમર્થનમાં તેમણે નિવેદન પણ આપ્યું છે.        



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!