સુરતના રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌ-માંસ મળી આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:35:04

આજકાલ અનેક લોકો માંસાહારી ખાવાના શોખીન બન્યા છે. ત્યારે સુરતના લાલગેટ હોડી બંગલા વિસ્તારની રેસ્ટોરન્ટમાંથી પોલીસે રેડ કરી 60 કિલો ગૌ-માંસ પકડી પાડ્યું છે. જેને કારણે આસપાસના લોકોમાં ભારે અફરા-તફરી સર્જાઈ હતી. બાતમીને આધારે પોલીસે દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટમાં રેડ કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. ગૌ માંસ મળી આવતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.

60 કિલો ગૌ-માંસ રેસ્ટોરન્ટમાંથી મળતા માલિકની કરાઈ ધરપકડ

દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટ છેલ્લા 4 વર્ષથી ચાલતું હોવાને કારણે અનેક લોકો નોન-વેજ ખાવા અહીં આવે છે. પોલીસને આશંકા હતી કે નોનવેજની આઈટમોમાં ગૌ-માસ ભેળવી લોકોને ખવડાવવાંમાં આવે છે. બાતમીના આધારે જ્યારે રેડ કરી ત્યારે ફ્રિઝમાં રહેલી અલગ-અલગ થેલીઓમાંથી ગૌ-માંસ મળી આવ્યું. પકડાયેલા માંસને રિપોર્ટ માટે મોકલાયું હતું. એફએસએલ રિપોર્ટમાં ગૌ-માંસ હોવાનું સાબિત થતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.

Delhi Dastarkhwan, Surat - Restaurant reviews    

અનેક રેસ્ટોરન્ટ તેમજ લારીઓ પર હાથ ધરાયું ચેકિંગ

તંત્ર નોન-વેજની લારી તેમજ રેસ્ટોરન્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. જે અંતર્ગત સુરત શહેરના પોશ વિસ્તારમાં ચાલતી અનેક નોન-વેજ રેસ્ટોરન્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે. નોન વેજમાં મિક્સીંગ કરીને લોકોને નોન-વેજ પીરસાતું હોવાની વાતને ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.   



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.