સુરતના રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌ-માંસ મળી આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:35:04

આજકાલ અનેક લોકો માંસાહારી ખાવાના શોખીન બન્યા છે. ત્યારે સુરતના લાલગેટ હોડી બંગલા વિસ્તારની રેસ્ટોરન્ટમાંથી પોલીસે રેડ કરી 60 કિલો ગૌ-માંસ પકડી પાડ્યું છે. જેને કારણે આસપાસના લોકોમાં ભારે અફરા-તફરી સર્જાઈ હતી. બાતમીને આધારે પોલીસે દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટમાં રેડ કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. ગૌ માંસ મળી આવતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.

60 કિલો ગૌ-માંસ રેસ્ટોરન્ટમાંથી મળતા માલિકની કરાઈ ધરપકડ

દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટ છેલ્લા 4 વર્ષથી ચાલતું હોવાને કારણે અનેક લોકો નોન-વેજ ખાવા અહીં આવે છે. પોલીસને આશંકા હતી કે નોનવેજની આઈટમોમાં ગૌ-માસ ભેળવી લોકોને ખવડાવવાંમાં આવે છે. બાતમીના આધારે જ્યારે રેડ કરી ત્યારે ફ્રિઝમાં રહેલી અલગ-અલગ થેલીઓમાંથી ગૌ-માંસ મળી આવ્યું. પકડાયેલા માંસને રિપોર્ટ માટે મોકલાયું હતું. એફએસએલ રિપોર્ટમાં ગૌ-માંસ હોવાનું સાબિત થતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.

Delhi Dastarkhwan, Surat - Restaurant reviews    

અનેક રેસ્ટોરન્ટ તેમજ લારીઓ પર હાથ ધરાયું ચેકિંગ

તંત્ર નોન-વેજની લારી તેમજ રેસ્ટોરન્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. જે અંતર્ગત સુરત શહેરના પોશ વિસ્તારમાં ચાલતી અનેક નોન-વેજ રેસ્ટોરન્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે. નોન વેજમાં મિક્સીંગ કરીને લોકોને નોન-વેજ પીરસાતું હોવાની વાતને ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.   



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.