Porbandarમાં Policeનું જબરજસ્ત કામ!, જે ગુંડાનું નામ પડતાં જ લોકો ફફડે એનું પોલીસે સરઘસ કાઢ્યું!


  • Published By :
  • Published Date : 2023-12-16 16:36:38

અમુક ગુંડાઓ એવા હોય કે જેનાથી લોકો તો શું નેતાઓ પણ ડરતા હોય છે. અને આજે એવા જ એક ગુંડાની વાત કરવી છે પણ જેનાથી મોટા મોટા લોકો ડરે છે એને એસપી જાડેજાએ ઔકાત બતાવી છે. પોરબંદર જ્યાં  ગાંધીનો જન્મ થયો અને એને ગાંધીની ભૂમિ કહેવાય પણ આ ગાંધીની ભૂમિ પર ગુંડાગીરી ચરમ સીમાએ પહોંચી છે. એક ગુંડો જેનું નામ રમેશ છેલાણા. આ એક એવું નામ છે જેનાથી લોકો ડરે ઠે પરંતુ નેતાઓ પણ આવા ગુંડાથી ડર્યા છે! પરંતુ આ ગુંડાને તેની અસલી ઔકાત એસપી જાડેજાએ બતાવી છે.

10 લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી

પોરબંદરના એસપી જાડેજાએ પોરબંદર નજીકના ઓડદર ગામની છેલાણા ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના બે દિવસના રિમાન્ડ લેવાયા હતા, ત્યારે હવે આ શખ્સો સહિત કુલ ૧૦ શખ્સો સામે પોલીસે ગુજસીટોકનું હથીયાર ઉગામ્યું છે, પોલીસના આ નિર્ણયને કારણે સમગ્ર જિલ્લામાં ખુશી છે અને લોકો પોલીસની કામગીરીની દાદ દઈ રહ્યા છે. 


બે દિવસના રિમાન્ડ કરાયા મંજૂર 

આડેદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સાગરીતો સામે ગામમાં જ રહેતા બે પરિવારોને ધાકધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી કરી તેમને ગામ મુકાવ્યું હોવાની વાત આવી હતી. આ મુદ્દે તારીખ ર૩ અને રપ નવેમ્બર ર૦ર૩ના રોજ ફરિયાદ નોંધાઈ. પછી આ લોકો ફરાર થઈ ગયા અને પોલીસ આ બધા આરોપીને રાજસ્થાનની પકડી લાવ્યા. ઝડપાયેલા શખ્સોમાં રમેશ ઉપરાંત કાના  છેલાણા, રામા છેલાણા અને ભાવેશ  છેલાણાને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા  હતા. જેમાં રિમાન્ડ દરમ્યાન ચારેય શખ્સોને આડેદર ખાતે લઇ જવાયા.


પોરબંદર એસપીએ ટ્વિટર પર મૂકી ટ્વિટ 

પોલીસે રી-કન્સ્ટ્રકશન પણ કરાવ્યું. આ લોકો સામે પોલીસે ધાકધમકી, મારામારી, પ્રોહીબીશન, ખૂનની કોશિશ,ખંડણી અને બે પરિવારોને ગામ મુકાવવા સહિત અઢળક ગુન્હાઓ નોંધાયા છે. જેથી LCBએ આ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રેંજ આઈજી સમક્ષ દરખાસ્ત કરી હતી. જે મંજુર થતા રમેશ છેલાણા ઉપરાંત તેની ગેંગના અન્ય ૯ સાગરીતો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ટ્વિટર પર એસપી પોરબંદર દ્વારા ટ્વિટ કરવામાં આવી છે જેમાં બિફોર અને આફ્ટર મૂકવામાં આવ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.