ગુજરાત પોલીસને પોતાનું કામ કરવાની મનાઈ છે, સત્તાધિશોને અભિમાન ચઢ્યું છે કે અમને રોકવાની કોઈની તાકાત ના હોવી જોઈએ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:29:14

સત્તા છે તો કાયદાને પગની નીચે કચડી નાખશો?


વડોદરામા માંજલપુરમાં એક ડાયરાનું આયોજન થયું હતું, ડાયરાનું નામ હતું માં-બાપને ભુલશો નહીં, કાર્યક્રમમાં મોટા-મોટા સંતો, ભાજપના નેતા બધા હાજર હતા, ભાજપના જ એક કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડનું આ આયોજન હતું, પણ આયોજન માટે કોઈ જ આગોતરી પરવાનગી ના લેવાતા માંજલપુર પી.આઈ વિજય દેસાઈ ત્યાં પહોંચ્યા અને સ્ટેજ પર જઈને માઈકમાં કહી દીધું કે પરવાનગી નથી એટલે કાર્યક્રમ આગળ નહીં થઈ શકે. સ્ટેજ પર રહેલા લોકોને પણ મંચ છોડી દેવાનું કહી દીધું. પણ તરત જ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ છુટ્યા અને સ્પેશીયલ બ્રાન્યમાં બદલી કરી દેવાઈ


કોણ કોણ હતું મંચ પર?

ભાજપના કૉર્પોરેટર આયોજીત આ ડાયરામાં અશ્વિન જોશી, દ્વારકેશલાલજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ હતા, આ દરેક લોકોને પીઆઈએ મંચ પરથી ઉતરી જવાનું કહ્યું તો એમાં એમનું અપમાન થયાનું લાગ્યુ, તરત જ ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી થઈ અને એક જ મહિનાના પોસ્ટીંગમાં ટ્રાન્સફર મળી ગઈ


સામાન્ય જનતાનું તો દરરોજ આમ જ અપમાન થાય છે સરકાર...

દેશનું બંધારણ કહે છે કે કાયદાની દ્રષ્ટીએ તો દરેક નાગરીક સમાન છે, પણ સરકાર કે પોલીસ કોઈ એમને સરખા ગણતું નથી, મંચ પરથી ઉતરવું પડ્યુ અને એ પણ નિયમો ભંગ કરવા બદલ તો પીઆઈ સામે કાર્યવાહી થઈ ગઈ, અને દરરોજ રસ્તા પર અધિકાર માટે ભટકતા લોકોનું શું! પોલીસ કામ કરે તો બદલી મળી જાય તો પોલીસે શું તમારી ચરણવંદનાનું જ કામ કરવાનું છે? શું ગુજરાત પોલીસ ક્યાંય પણ કાર્યવાહી કરાવ જાય તો ત્યાં જઈને પુછવાનું છે કે ભાઈ તમે ભાજપના કે એના કોઈ નજીકના તો નથીને...! જો આમ જ હોય તો પોલીસને ન્યાય-નીતિની મોટી ટ્રેનીંગ માટે સમય વેડફાવ્યા વગર આ જ શીખવી દેવું જોઈએ. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે