ગુજરાત ATSનો સપાટો, વડોદરામાં PFI સાથે સંલગ્ન મદરેસા કર્યું સીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:47:14

PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. PFI ના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો રેલો હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. NIA દ્વારા  બનાસકાંઠા, અમદાવાદ સુરત અને નવસારીમાં તપાસ કરવામાં આવી છે.  NIA દ્વારા આ તપાસ ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી રહી છે.  


વડોદરામાં ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ


PFI કેસમાં વડોદરા પોલીસ અને ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. PFI સાથેની સાંઠગાંઠના આરોપમાં  વડોદરામાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વડોદરા ACP ક્રાઈમે જણાવ્યું કે આ મદરેસાની તપાસ કરવામાં આવી, આ મદરેસામાં AIICની બેઠક યોજાઈ હતી અને તેને સીલ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


બનાસકાંઠામાંથી ત્રણ શંકાસ્પદની અટકાયત

આ તપાસ દરમ્યાન બનાસકાંઠામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠા માંથી PFI સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. SOG પોલીસે ત્રણ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. જો કે આ મામલો અતિ સંવેદનશીલ હોવાને કારણે પોલીસે સમગ્ર માહિતિ ગુપ્ત રાખી છે. SOGની ટીમે અટકાયત કરાયેલા શખ્સોને વધુ તપાસ અર્થે ATSને સોંપવામાં આવ્યા છે.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.