AAPના ધારાસભ્ય Chaitar Vasava વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું લાગ્યો છે આરોપ?


  • Published By :
  • Published Date : 2023-11-03 15:29:22

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નર્મદાનું વન વિભાગ આ મામલે ફરિયાદી બન્યું છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી.વન વિભગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી તે મામલે તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. આ મામલે એસપી દ્વારા કોઈ અધિકારીક રીતે કોઈ જાણકારી આપવામાં નથી આવી પરંતુ આ મળતી માહિતી અનુસાર ખાલી બોલાચાલી ન થઈ હતી પરંતુ મારામારી પણ હતી. વન વિભાગના કર્મચારીને ઈજા પણ પહોંચી હતી. ત્યારે તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ પગલા લઈ શકાય છે. કલમ 386 હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.  જ્યારે આ મામલે ચૈતર વસાવાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો. ધારાસભ્યની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે! 

ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ મોકલ્યું છે પૂછપરછ માટે. તો બીજી તરફ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધવાની છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી. વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે બોલાચાલી હતી અને તે વિરૂદ્ધ આજે ફરિયાદ નર્મદા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.