કિરણ પટેલ કેસમાં પોલીસે કરી આ બે લોકોની ધરપકડ! જાણો કોની વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:38:44

છેલ્લા ઘણા દિવસોથી નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે કિરણ પટેલની સાથે જે અન્ય બે ગુજરાતીઓ કાશ્મીરમાં વીઆઈપી સુવિધાઓ મેળવી રહ્યા હતા હતી તેની ઓળખ કરી લેવામાં આવી છે. જે બે યુવાનોની વાત કરવામાં આવી રહી છે તેમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા છે અને બીજો તેનો મિત્ર જય સીતાપરા છે. 

Kiran Patel AND CM Pro

આ ઘટનામાં સામેલ બે લોકોની કરાઈ ધરપકડ!

કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીર પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે કાશ્મીર પોલીસ અમદાવાદ આવી હતી અને બંને યુવાનોને કાશ્મીર લઈ ગઈ હતી. જે બે લોકોને પૂછપરછ માટે કાશ્મીર લઈ જવાયા છે તે લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાના પુત્ર છે અને બીજો વ્યક્તિ તેનો મિત્ર જય સીતાપરા છે. છેલ્લા ચાર જેટલા દિવસોથી તેઓ જમ્મુ કાશ્મીર પોલીસની કબજામાં છે. આ બંને લોકો જમ્મુ કાશ્મીરમાં જ્યારે પીએમઓ અધિકારી બની જ્યારે જમ્મુ કાશ્મીરમાં ફરતો હતો ત્યારે આ બંને લોકો પણ એમાં સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બંને ગુજરાત પરત આવી ગયા છે. કિરણ પટેલના રિમાન્ડ બાદ બંનેને કાશ્મીર બોલાવવામાં આવ્યા હતા અને જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે. 


23 માર્ચના રોજ હાથ ધરાશે સુનાવણી 

થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી ઉપરાંત અનેક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મુદ્દો સામે આવતા એક ચર્ચાનો વિષય બની ગયો હતો. કેવી રીતે એક સામાન્ય માણસ નકલી પીએમઓ અધિકારી બની સુવિધાઓ મેળવી શકે છે તે એક પ્રશ્ન છે. કિરણ પટેલે જામીન મેળવવા માટે શ્રીનગર કોર્ટમાં અરજી કરી છે. 23મી માર્ચના રોજ આ અંગે ચૂકાદો સંભળાવવામાં આવશે. અમદાવાદમાં રહેતા કિરણ પટેલનો ઠગ તરીકેનો ભાંડો ફૂટતા પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.