પોઈચા : નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોમાંથી એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ, બાકી રહેલા લોકોની થઈ રહી છે શોધખોળ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-15 12:27:38

ગઈકાલે પોઈચાથી એક સમાચાર સામે આવ્યા જેણે લોકોને ગમગીન કરી દીધા.. સુરતથી પોઈચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા લોકો એકાએક તણાઈ ગયા.. 8 લોકો પાણીમાં ડૂબી ગયા જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો.. સાત લોકોની શોધખોળ ચાલું હતી અને હવે સમાચાર મળી રહ્યા છે કે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર 6 કિમી દૂર આવેલા પૂલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. બાકીના લોકોને શોધવાની તજવીજ ચાલી રહી છે.. 

News18 Gujarati

8 જેટલા લોકો ગયા હતા ન્હાવા

દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. ન્હાવા માટે ગયેલા લોકોને પણ નહીં ખબર હોય કે તે દુર્ઘટનાનો શિકાર બનવાના છે.. નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો અચાનક ડૂબી ગયા.. 8 જેટલા લોકો ડૂબ્યા હતા જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકી રેહલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. 

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ

લોકો સુરક્ષિત રીતે મળી આવે તેવી આશા હતી પરંતુ ડૂબા ગયેલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની લાશ સવારે મળી આવી હતી. અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.. મળતી માહિતી અનુસાર તણાઈ ગયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ તેમજ અનેક ફાયર ફાઈટરની ટીમ કાર્યરત છે.. મહત્વનું છે ડૂબી ગયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે..   



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.