રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના, સજાનો દર માત્ર 1.59 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-19 19:00:57

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઈ કોંગ્રેસે રાજ્યની ભાજપની સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભામાં રજુ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાને લઈ સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. 


પોકસો કેસમાં 395.5% નો વધારો


ગુજરાતમાં પોક્સો કાયદા હેઠળ નોંધાયેલા ગુના અંગે લોકસભામાં રજુ કરવામાં આવેલા આકડાંનો આધાર લઈ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર બેન-દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ રહી ​​​​​​છે. આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ 2014થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. વર્ષ 2014થી 2021 સુધીમાં પોકસો કેસમાં 395.5% નો વધારો થયો છે. જો કે સજાનો દર માત્ર 1.59 ટકા જ છે. પોક્સો કેસમાં માત્ર 231 કેસમાં જ ગુના પુરવાર થઇ શક્યા છે, જ્યારે 12,647 કેસ હજુ પણ પેન્ડિંગ છે. વર્ષ 2014માં પોકસો હેઠળ 613 ગુના નોંધાયા હતા, જેમાં 5 કેસમાં સજા થઈ હતી. વર્ષ 2020માં સૌથી વધુ 2345 પોક્સો કેસ નોંધાયા હતા, જેમાં 23 કેસમાં જ સજા થઈ હતી. તે જ પ્રકારે વર્ષ 2021માં પોક્સો કેસમાં 71 કેસમાં સજા થઈ હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.