ગુજરાતમાં ચૂંટણી પહેલા માહોલ ગરમાયો, પીએમ આવતીકાલથી બે દિવસના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 11:22:27


સી.આર.પાટીલ થોડા દિવસ પહેલા જ કહી ચુક્યા છે કે રાજ્યમાં 60 દિવસમાં તો આચારસંહિતા લાગી જશે, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓ સાથે મેદાને છે, સૌથી વધારે તો આમ આદમી પાર્ટી આક્રમકતા સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સરકારી યોજનાઓ અને ઈમારતોના લોકાર્પણના નેજા હેઠળ પ્રધાનમંત્રી મોદીને મેદાને ઉતારી રહી છે

લોકાર્પણ સરકારી, પણ વાત તો થશે રાજનીતિની જ!


પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, 27મીએ અમદાવાદના રિવરફ્રંટ પર ખાદી મહોત્સવની સાથે સાબરમતી નદી પર બનેલા ફુટ ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કરશે, આ ફુટ ઓવર બ્રિજ ક્યારનોય તૈયાર થઈને ઉભો છે પણ પીએમનો સમય મળે અને ઉદઘાટન પછી સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાય એની રાહ જોવાતી હતી, પીએમ 27મીએ અધિકારીક રીતે અટલ બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકશે, જો કે એના પહેલા જ શહેઝાદ ખાન પઠાણ કૉંગ્રેસના અમદાવાદ કૉર્પોરેશનના વિપક્ષના નેતા રાજકીય વિરોધમાં બ્રિજનું લોકાર્પણ કરી ચુક્યા છે.


30 રૂપિયામાં આ બ્રિજ પર ફરવા જવાશે!

સાબરમતી નદીના બે કાંઠાને જોડતા આ બ્રિજ પર ફરવા જવા માટે તમારે વ્યક્તિ દિઠ 30 રૂપિયા આપવાના થઈ શકે છે, તમે એના પર સાઈકલ પણ લઈને જઈ શકો એવી વ્યવસ્થા પણ કૉર્પોરેશન કરી રહ્યુ હોવાની વાત થઈ રહી છે, રીવરફ્રંટ પર સૌથી મોટો પ્રશ્ન પાર્કીંગનો થાય છે તો એના માટે પણ કૉર્પોરેશને વ્યવસ્થા કરીને બંને બાજુ મલ્ટીલેવલ પાર્કીંગ બનાવ્યા છે


ચૂંટણી પહેલા પીએમ કચ્છીમાંડુઓને રીઝવશે

કચ્છ સાથે નરેન્દ્ર મોદીનું કનેક્શન એકદમ મજબૂત રહ્યુ છે, વર્ષ 2001ના ભૂકંપની આપત્તી પણ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ સાથે કનેક્શન વાળી છે, પણ દરેક આપત્તીની જેમ જ કચ્છના ભૂકંપને પણ પીએમ અવસરમાં પલટાવી શક્યા હતા, અને હવે મૃતકોની યાદમાં, કચ્છની ખુમારીને બિરદાવતા સ્મૃતિવનનું લોકાર્પણ પણ પીએમ મોદી કરવાના છે. અંજારમાં વીર-બાળક સ્મારકનું લોકાર્પણ થવાનું છે જ્યાં ભૂકંપમાં માર્યા ગયેલા બાળકોની યાદો ઉભી કરાઈ છે, તો જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા વર્ણવી છે.


ગરમ થઈ જશે ગુજરાતનો માહોલ

આ લોકાર્પણો સામાન્ય લોકો સાથે સંકળાયેલા છે, પીએમ ગુજરાત આવે ત્યારે માહોલ પણ અલગ જ ઉભો થતો હોય છે ત્યારે ગુજરાતના પોલિટીક્સમાં ગરમી આવી જવાની છે એ વાત નક્કી છે.






હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.