બ્રિટનના PM ઋષિ સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને પર ફૂલ વેચ્યા, લોકોને થયું આશ્ચર્ય


  • Published By :
  • Published Date : 2022-11-04 14:06:08


બ્રિટનની અર્થવ્યવસ્થા મંદીમાં છે, મોંઘવારી આસમાને છે અને રાજકીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં દેશના નવા વડાપ્રધાન ઋષિ સુનકની સામે મોટા પડકારો છે. આમ છતાં પીએમ સુનકની અનોખી સ્ટાઈલ જોવા મળી રહી છે. હા, સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને Poppies  (એક પ્રકારનું ફૂલ) વેચતા જોવા મળ્યા હતા. પોતાના ટોચના નેતાને આવું કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.


સુનકે પોપી ડે માટે ફંડ એકઠું કર્યું


આ Poppies કાગળમાંથી બનાવવામાં આવ્યા હતા અને સુનકે ફંડ ઊભુ કરવા માટે તેમણે 5 પાઉન્ડમાં એક ફૂલ વેચ્યું હતું. આ ફંડ રોયલ બ્રિટિશ લીજનના વાર્ષિક લંડન પોપી ડે માટે એકત્ર કરવામાં આવ્યું હતું. યુકેના પીએમ બ્રિટિશ આર્મી, નેવી અને એરફોર્સના સ્વયંસેવકોનો ભાગ બન્યા જે ઘરે ઘરે જઈને લોકો પાસે દાન માંગી રહ્યા છે.


લોકોએ પીએમ સાથે પણ વાતચીત કરી હતી


પીએમ સુનકની આવા જાહેર સ્થળે હાજરીને કારણે સામાન્ય લોકોને તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. ઘણા લોકોએ તેમના વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી અને તેમની સાથે થોડી ચર્ચા કરી. આ પછી કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને પોતાનો અનુભવ જણાવ્યો. લોકોએ ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન સાથે વાતચીત કરવાના અનુભવને અદ્ભુત ગણાવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.