'શ્રી રામ ઘરે આવ્યા...' Geeta Rabariનું આ ભજન સાંભળી ભાવવિભોર થયા PM Modi,X પર કર્યું શેર


  • Published By :
  • Published Date : 2024-01-07 18:20:21

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે, આ શાનદાર સમારોહમાં પીએમ મોદી સહિતની અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના તમામ ગીતકારો નવા-નવા ભજનો તૈયાર કરી રહ્યા છે. આ કાર્યક્રમને લઈ ગુજરાતના કચ્છની પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ ભજન રિલીઝ કર્યું છે. આ ભજન એટલું મધુર છે, કે પીએમ મોદીને પણ ખૂબ જ પસંદ આવ્યું છે. જેથી તેમણે આ ભજન સોશિયલ મીડિયા પર તે શેર કર્યું હતું. 

PM મોદીએ કરી પ્રશંસા


ભજનીક ગીતાબેન રબારીના આ ભજનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર એકાઉન્ટ પર શેર કર્યું છે, તેમણે લખ્યું કે 'અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનનો ઈન્તઝાર ખતમ થવાનો છે, દેશભરના મારા પરિવારજનો તેમની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતા રાહ જોઈ રહ્યા છે, તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ભાવવિભોર કરનારૂં છે.' 

 

ગીતાબેન રબારીએ PM મોદીનો આભાર માન્યો


PM મોદીએ આ ભજન શેર કર્યું ત્યાર બાદ ગીતાબેન રબારીએ આ અંગે અપાર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે 10 દિવસ પહેલા તેણે આ ગીત 'રામ ઘર આયે' રિલીઝ કર્યું હતું અને હવે ભારતના વડાપ્રધાન મોદીએ તેને શેર કર્યું છે, તેના માટે મોદીજીનો ખૂબ ખૂબ આભાર અને તમારા આશીર્વાદ આપે તેવી વિનંતી. ગીતાબેને કહ્યું કે મને ગર્વ છે કે મારું ગીત પીએમ મોદીના માધ્યમથી સમગ્ર ભારત અને સનાતનીઓ સુધી પહોંચી રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.