PM મોદીએ અચાનક જ લીધી નવા સંસદ ભવનની મુલાકાત, એક કલાકથી વધુ સમય સુધી કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-30 21:19:24

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (30 માર્ચે) આશ્ચર્યજનક રીતે નવા સંસદ ભવનનું  નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે નવી ઇમારતમાં એક કલાકથી વધુ સમય પસાર કર્યો અને સંસદના બંને ગૃહોમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ સાથે પીએમ મોદીએ વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું.પીએમ મોદીએ નવા સંસદ ભવનના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ નવા સંસદ ભવનમાં હાજર રહ્યા હતા.  


સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યું છે નિર્માણ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી. નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે. નવા બિલ્ડિંગમાં લોકસભા ચેમ્બરમાં 888 સીટો અને રાજ્યસભા ચેમ્બરમાં 384 સીટો હશે. વર્તમાન સંસદ ભવનની જેમ તેમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. સંયુક્ત સત્રમાં લોકસભા ભવન 1,272 સભ્યોને સમાવી શકવા માટે સક્ષમ હશે. બાકીની ઇમારતમાં મંત્રીઓના કાર્યાલય અને કમિટી રૂમ સાથે 4 માળ હશે.


કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં અન્ય પ્રોજેક્ટ્સની સાથે નવી સંસદ ભવનનું નિર્માણ પણ સામેલ છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર હશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.