Gujaratના પ્રવાસે આવશે PM Modi, આટલા કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ, જાણો પીએમનો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-09-26 13:57:01

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આજે આવવાના છે. બે દિવસના પ્રવાસ માટે આવી રહ્યા છે. 26 અને 27 સપ્ટેમ્બરના દિવસે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે એટલે 26 સપ્ટેમ્બરે અમદાવાદના એરર્પોટ પર તેમનું આગમન થશે. માહિતી અનુસાર બે હજાર મહિલાઓ દ્વારા PMનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપવાના છે. તે બાદ  27 સપ્ટેમ્બર પીએમ બોડેલી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. વાઈબ્રન્ટ સમિટની 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. તે ઉપરાંત બોડેલીમાં 5200 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરવાના છે. 


નદી પર બનાવવામાં આવેલા પુલનું કરશે લોકાર્પણ 

વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ઓદરા-  ડભોઇ સિનોર-માલસર આસા રોડપર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલનું લોકાર્પણ કરશે ઉપરાંત દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરામાં આર્થિક નબળા વર્ગ માટે 400 મકાનોનું લોકાર્પણ કરશે. ગુજરાતના 7500 ગામોમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ તેમજ દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કરશે. 


4500 કરોડના વિવિધ પ્રોજેક્ટનું પીએમ મોદી શિલાન્યાસ કરશે 

તે ઉપરાંત છોટા ઉદેપુરના બોડેલી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ સમારોહમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટીમ લેબનું લોકાર્પણ કરશે. પીએમ મોદી છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ કરશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.