No Confidence Motion પર PM Modi આજે સંસદમાં આપશે જવાબ, જાણો સંસદમાં કેટલા વાગ્યે મણિપુર મુદ્દે બોલશે પીએમ?


  • Published By :
  • Published Date : 2023-08-10 10:05:28

છેલ્લા બે દિવસથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ચર્ચા ચાલી રહી છે. બે દિવસમાં વિપક્ષી સાંસદોએ કેન્દ્ર સરકારને અનેક રીતે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ દિવસની ચર્ચામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પીએમ મોદીને ત્રણ સવાલો પૂછ્યા હતા. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધી પણ એકદમ આક્રામક દેખાયા હતા. તેમણે પણ પીએમ મોદી પર આકરા કટાક્ષ કર્યા હતા. ત્યારે આજે પીએમ મોદી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવાના છે. મળતી માહિતી અનુસાર સાંજે ચાર વાગ્યે પીએમ મોદી સંસદમાં જવાબ આપી શકે છે. મહત્વનું છે મોદી સરકાર સામે આ બીજો અવિશ્વાસ પ્રસ્તાવ છે. પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ 20  જુલાઈ 2018માં તેલુગું દેશમ પાર્ટી લાવી હતી. 

મણિપુરની ચર્ચા થાય ત્યારે હોબાળો થવો નિશ્ચિત છે!

સંસદમાં હાલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને પીએમ મોદીના મૌનને લઈ વિપક્ષી સાંસદો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સંસદની કાર્યવાહી દરમિયાન મણિપુર મુદ્દે ચર્ચા થાય તે માટે અનેક પ્રયત્નો થયા હશે પરંતુ અંતે આ તો સંસદ છે. સંસદમાં ચાલતી ચર્ચા, જે પ્રકારે હંગામા થાય છે તેને જોતા લાગે કે આની આગળ તો સિરિયલોના ડાયલોગ પણ ફિક્કા પડે છે. સંસદમાં હોબાળાની તસવીરો જે સામે આવતી હોય છે તેને જોઈને સવાલ થાય કે કેટલી સહજતાથી સાંસદો એવા વાક્યો બોલી જાય છે જેને બોલતા સામાન્ય માણસ અનેક વખત વિચાર કરે. 

સાંસદોના નિવેદનો સાંભળી વિચાર આવે કે....  

સંસદમાં જ્યારે ચર્ચા ચાલી રહી હોય ત્યારે સાંસદો દ્વારા જે નિવેદનો સામે આવતા હોય છે તેને સાંભળીને આપણને લાગે કે શું લોકશાહીના મંદિરમાં આવી ચર્ચાઓ શોભે છે? થોડા સમય પહેલા એક મહિલા સાંસદ મીનાક્ષી લેખીએ પોતાના ભાષણમાં એવું કીધું હતું કે ચૂપ રહો! ક્યાંક તમારા ઘરે ઈડીના દરોડા ના પડી જાય. આ નિવેદન સાંભળીએ કીધું કે સાંસદ હસતા હસતા સત્ય બોલી ગયા. ત્યારે એક-બે દિવસ પહેલા નારાયણ રાણેએ સંસદમાં એવી ભાષાનો ઉપયોગ કર્યો કે જે ભાષા ગલીમાં ફરતા ગુંડા કરતા હોય. લોકશાહીનું મંદિર ગણાતા સંસદમાં તેમણે ઓકાત બતાવવાની વાત કરી હતી.


પીએમ મોદી મણિપુર વિશે કેટલું બોલશે તેની પર સૌની નજર!

આજે સંસદમાં પીએમ મોદી જવાબ આપવાના છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. એ જોવું રહ્યું કે પીએમ મોદી મણિપુર વિશે કેટલી મિનીટ વાત કરે છે અને ભાજપ સિવાય જ્યાં બીજી પાર્ટીની સરકાર છે મુખ્યત્વે કોંગ્રેસની તે રાજ્ય અંગે કેટલી વાત કરે છે.. કારણ કે જ્યારે મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે પીએમ મોદી બોલ્યા હતા પરંતુ તે માત્ર સેકેન્ડોમાં પૂર્ણ થઈ ગયું હતું અને પોતાના નિવેદનમાં બીજા રાજ્યોની વાત કરતા હતા. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!