Loksabha Electionને લઈ Gujaratમાં પીએમ મોદી કરશે પ્રચાર, રાજકોટમાં સૌ પ્રથમ રેલી કરે તેવી શક્યતાઓ...


  • Published By :
  • Published Date : 2024-04-13 18:39:46

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત યોજાવાની છે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર પણ શરૂ થઈ ગયો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. 20 એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવી શકે છે અને પહેલી જનસભા રાજકોટમાં કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.


ભાજપના નેતાઓએ શરૂ કરી દીધો છે પ્રચાર 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના નેતાઓ દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. અલગ અલગ બેઠકો પર ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. સી.આર.પાટીલ, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા કરાતો પ્રચાર છે. 


20 એપ્રિલ બાદ ગુજરાત આવી શકે છે પીએમ મોદી 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. ત્યારે આ વખતે પણ 26 પર કમળ ખીલે તે માટે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી પણ 20 તારીખ બાદ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલે રાજકોટ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી શકે છે તેવી માહિતી છે ઉપરાંત ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે તેવી માહિતી છે.


રાજકોટમાં પીએમ મોદી કરી શકે છે પ્રચાર!

પીએમ મોદી ગુજરાતમાં અનેક સભાઓ ગજવાના છે. ચારેય ઝોનમાં પ્રચાર કરી,સભાઓ કરી, રોડ શો કરી આખા ગુજરાતને કવર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ પીએમ મોદી રાજકોટમાં પ્રચાર કરવા માટે આવી શકે છે. મહત્વનું છે કે આ વખતે ભાજપે 5 લાખની લીડ સાથે જીતશે તેવી આશા રાખી છે..  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.