Gujaratના પ્રવાસે આવ્યા PM Modi, મા અંબાના દર્શન કરી પ્રવાસની કરી શરૂઆત! અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-10-30 13:14:31

પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. ગુજરાતની મુલાકાત દરમિયાન કરોડોની ભેટ ગુજરાતને આપવાના છે. અનેક કાર્યોનું ઉદ્ધાટન તેમજ શિલાન્યાસ કરવાના છે. જનસંબોધન પણ કરવાના છે. આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી પરેડમાં તેઓ ભાગ લેવાના છે. આ બધું કરે તે પહેલા પીએમ રેન્દ્ર મોદી માં અંબાના શરણે પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી માતાજીના ઉપાસક છે. ત્યારે આજે ગુજરાતમાં આવી પહેલા તેઓ શક્તિ પીઠ અંબાજી પહોંચ્યા અને માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જ્યારે અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું અભિવાદન ઝીલવા મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

   

શક્તિપીઠ અંબાજીથી પીએમ મોદીએ પ્રવાસની કરી શરૂઆત 

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવ્યા છે. બે દિવસ તેઓ ગુજરાતમાં રહેવાના છે. આ સમય દરમિયાન ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. રાજ્યને અંદાજીત 6 હજાર કરોડના વિકાસકામોની સોગાદ મળવાની છે. ગુજરાતમાં રૂપિયા 5,941 કરોડના વિવિધ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાશે. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત શક્તિપીઠ અંબાજીથી કરી છે. 


પીએમના હસ્તે થશે અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ

પીએમ મોદી જ્યારે જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે ત્યારે તેઓ હીરા બાને મળવા જતા હતા. પરંતુ હીરાબા હવે આપણી વચ્ચે નથી. ત્યારે પીએમ મોદી જગત જનની મા અંબાને મળવા પહોંચ્યા છે. પીએમ મોદી શક્તિના ઉપાસક છે. માં અંબાની સમક્ષ શીશ ઝુકાવી તેઓ પોતાનો આગળના કાર્યક્રમ તરફ અગ્રેસર થશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.