અમેરિકાના વિઝા હવે ઘર આંગણે મળશે, અમદાવાદમાં ખુલશે નવું US કોન્સ્યુલેટ


  • Published By :
  • Published Date : 2023-06-22 19:23:03

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકાના પ્રમુખ જો બિડેન સાથે આજે વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે. આ મિટિંગ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના કરારો થવાના છે. જો કે આ દરમિયાન અમેરિકા જવા માગતા ગુજરાતીઓ માટે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે અમેરિકા બેંગ્લુરુ, અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) ખોલશે. તે જ રીતે અમેરિકાના લોકો સાથે સંબંધો વધારવા માટે ભારત પણ સિએટલમાં એક મિશન સ્થાપિત કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ અરજી કરે છે.


વિદ્યાર્થીઓને થશે લાભ


અમેરિકાએ ગત વર્ષ ભારતીય વિદ્યાર્થીઓને 12,5000 વિઝા ઈશ્યુ કર્યા હતા. અમેરિકા જવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓએ ગત વર્ષે 20 ટકા વૃદ્ધિની સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીએ કહ્યું કે અમેરિકા બેંગ્લુરુ અને અમદાવાદમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાનો ઈરાદો ધરાવે છે. આ ઉપરાંત અમેરિકામાં વધુ એક નવું કોન્સ્યુલેટની જાહેરાત કરવા માટે ઉત્સુક છે. અધિકારીએ એમ પણ કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગ આ વર્ષના અંતમાં કેટલીક અરજી આધિરિત અસ્થાયી વર્ક વિઝાના ઘરેલૂ રિન્યુઅલ પર નિર્ણય લેવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલ પાંચ કોન્સ્યુલેટ છે. આ દૂતાવાસ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.