આજ સાંજે શું થશે, PM મોદીએ અચાનક જ શા માટે બોલાવી કેબિનેટની બેઠક? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-18 18:20:36

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ બેઠક બોલાવવાને કારણે સસ્પેન્સ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદ ભવનનાં એનેક્સી બિલ્ડિંગમાં યોજાશે. એવું કહેવાય છે કે આ બેઠકમાં 'INDIA' અને 'ભારત' નામ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નવી સંસદમાં જતા પહેલા આ બેઠક બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે નવી સંસદમાં જવાની પ્રક્રિયા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આવી કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી. જો કે હજુ સુધી કેન્દ્રીય કેબિનેટના એજન્ડા વિશે કંઈ જણાવવામાં આવ્યું નથી. માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી મહિલા અનામત બિલને પસાર કરાવીને ચૂંટણીમાં નવા માસ્ટરસ્ટ્રોક સાથે ઉતરવા માગે છે. મહિલા અનામતનું ભાજપ અને કોંગ્રેસ બંને સમર્થનનો દાવો કરે છે પરંતુ પસાર કરાવી શક્યા નથી. 


PM મોદી આપ્યો હતો સંકેત


આજે સાંજે યોજાનારી બેઠકમાં અનેક બિલોને મંજુરી આપી શકાય છે. આજ સવારથી જ બેઠકોનો સીલસીલો ચાલું જ છે. સંસદમાં પ્રધાનમંત્રી મોદીના ભાષણ બાદ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન આ અંગે ઈસારો કર્યો હતો કે કાંઈક મોટું કરવાની છે. તેમણે કહ્યું  હતું કે સંસદનું આ સત્ર ઐતિહાસિક થવાનું છે.


મહિલા અનામત બિલ પર થશે ચર્ચા


આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ બેઠકમાં મહિલા અનામત બિલ અંગે પણ ચર્ચા થઈ શકે છે. સ્પષ્ટ તો કાંઈ કહેવામાં આવ્યું નથી. જો કે અનુમાન લગાવવામાં આવ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં સરકાર કાંઈક ચોંકાવી દેનારો નિર્ણય લઈ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પણ એ તૈયારીમાં લાગ્યા છે. તે પણ આ અંગે આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે સરકાર ચોક્કસ કાંઈક મોટો નિર્ણય લઈ શકે છે. માનવામાં આવે છે કે 27 વર્ષથી અટકેલા મહિલા અનામત ખરડાને મંજૂરી આપીને મોદી સરકાર ચૂંટણીમાં ઉતરવા માગશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.