PM તરીકેનો કાર્યભાર સંભાળતા જ ખેડૂતોના હિતમાં લીધો પીએમ મોદીએ આ નિર્ણય, આટલા ખેડૂતોને આ નિર્ણયથી થઈ શકે છે ફાયદો


  • Published By :
  • Published Date : 2024-06-10 14:51:01

ગઈકાલે ત્રીજી વખત પીએમ તરીકેના નરેન્દ્ર મોદીએ શપથ લીધા.. આજથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.. કાર્.ભાર સંભાળતાની સાથે જ તેમણે એક મોટો નિર્ણય લીધો છે જે ખેડૂતોના હિતમાં છે.. પીએમના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે.. PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.

ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કર્યો..!

ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સારી થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે.. અનેક યોજનાઓ લાવવામાં આવે છે. ખેડૂતો માટે એક મોટો નિર્ણય પીએમ મોદી દ્વારા કાર્યકાળના પ્રથમ દિવસે લેવામાં આવ્યો છે. આજે જ પીએમ તરીકેનો કાર્યભાર ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ સંભાળ્યો છે અને ચાર્જ સંભળાતાની સાથે જે તેમણે સૌ પ્રથમ નિર્ણય ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે લીધો છે.. વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કરવાની ફાઈલ પર પીએમે સાઈન કરી છે. જ્યારે PM પીએમો પહોંચ્યા ત્યારે કર્મચારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું 

આજે થઈ શકે છે ખાતાની ફાળવણી..

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71 મંત્રીઓ સાથે શપથ લીધાજેમાંથી 11 સાથી પક્ષોના મંત્રીઓ છે અને નવા કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે 5 વાગે  પીએમ આવાસ પર મળવાની છે.. એવી સંભાવનાઓ છે કે આ મિટિંગમાં મંત્રીઓને તેમના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી શકે છે.. સાથે જ સરકારના પ્રથમ 100 દિવસના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે અત્યારે બધાની નજર ગઠબંધનમાં સામેલ ટીડીપી અને જેડીયુના મંત્રીઓને આપવામાં આવેલા મંત્રાલય પર રહેશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવજો.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે