PM Modiએ ફાઈટર પ્લેન Tejasમાં ભરી ઉડાન, PMએ શેર કર્યો અનુભવ, લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-25 15:05:41

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરૂમાં તેજસ વિમાનમાં ઉડાન ભરી છે. કર્ણાટકના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ યેલાહંકા એરબેઝની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં સવારી કરી. જે તેજસ વિમાનમાં તેમણે સવારી કરી હતી તે ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું જેટ ફાઈટર એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટની ઉડાન ભર્યા બાદ પીએમ મોદીએ કહ્યું આ ગજબનો અનુભવ હતો.

 

સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ શેર કરી તસવીર 

તેજસની સફર કર્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આના ફોટા શેર કર્યો હતા. અને ઉડાનનો અનુભવ કેવો લાગ્યો તે જણાવ્યું હતું. પીએમ મોદીએ લખ્યું, 'તેજસ પર સફળતાપૂર્વક ફ્લાઇટ પૂર્ણ કરી. આ અનુભવ અકલ્પનીય હતો. આ અનુભવે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ ઘણો વધાર્યો છે. તેનાથી મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગૌરવ અને આશાવાદની ભાવના જાગી છે.

Rajnath Singh becomes 1st defence minister to fly in Tejas | India News -  Times of India

રાજનાથસિંહ પણ ભરી ચૂક્યા છે તેજસની ઉડાન 

વડાપ્રધાન મોદી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે 2019માં બેંગલુરુના HAL એરપોર્ટ પરથી તેજસ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. તેઓ સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)માં ઉડાન ભરનાર પ્રથમ સંરક્ષણ પ્રધાન બન્યા.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.