Tunnelમાંથી બહાર આવેલા શ્રમિકો સાથે PM Modiએ કરી વાત, પીએમને જણાવ્યો કેવો હતો અનુભવ?


  • Published By :
  • Published Date : 2023-11-29 13:12:52

ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર નિકળેલા શ્રમિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી હતી. ફોન પર તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. શ્રમિકો સાથે પીએમએ વાતચીત કરી તેની પહેલા તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ વાત કરી હતી. શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ જાણકારી મેળવી  હતી. આ ઘટનાને લઈ વડાપ્રધાન મોદી સતત આ અપડેટ લઈ રહ્યા હતા.   મુખ્યમંત્રી પાસેથી આની અપડેટ સતત લેતા હતા.  

પીએમ મોદીએ ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટનલમાંથી બહાર આવેલા 41 મજૂરો સાથે ફોન પર વાત કરી હતી. બચાવ અભિયાનને સફળ બનાવનાર સૈનિકોની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમની બહાદુરી અને નિશ્ચયથી આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન મળ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. 17 દિવસ શ્રમિકોએ ટનલમાં કેવી રીતે કાઢ્યા તે અંગે પણ પીએમ મોદીએ પૂછ્યું હતું.  


માનવી શક્તિનો કરાયો ઉપયોગ!

હવે આખી ઘટના અને ઓપરેશન જિંદગી પર નજર કરીએ તો ગઈકાલે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાથી આવેલું ઓગર મશીન તૂટી ગયા બાદ રેટ માઈનર્સે બાકીનો કાટમાળ ખોદી કાઢ્યો હતો અને મંગળવારે મોડી સાંજે તમામ કામદારોને પાઇપ વડે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનની દુનિયાભરના મીડિયામાં ચર્ચા થઈ રહી છે. જ્યાં મશીનો નહીં પણ માણસોએ જીત મેળવી છે. અહીં સુરંગ તોડવામાં યાંત્રિક શક્તિ ખલાસ થઈ ગઈ પછી માનવની હિંમત કામમાં આવી. મહત્વનું છે કે બહાર આવ્યા બાદ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકોને રાખવામાં આવ્યા છે ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.