Tunnelમાંથી બહાર આવેલા શ્રમિકો સાથે PM Modiએ કરી વાત, પીએમને જણાવ્યો કેવો હતો અનુભવ?


  • Published By :
  • Published Date : 2023-11-29 13:12:52

ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર નિકળેલા શ્રમિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી હતી. ફોન પર તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. શ્રમિકો સાથે પીએમએ વાતચીત કરી તેની પહેલા તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ વાત કરી હતી. શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ જાણકારી મેળવી  હતી. આ ઘટનાને લઈ વડાપ્રધાન મોદી સતત આ અપડેટ લઈ રહ્યા હતા.   મુખ્યમંત્રી પાસેથી આની અપડેટ સતત લેતા હતા.  

પીએમ મોદીએ ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટનલમાંથી બહાર આવેલા 41 મજૂરો સાથે ફોન પર વાત કરી હતી. બચાવ અભિયાનને સફળ બનાવનાર સૈનિકોની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમની બહાદુરી અને નિશ્ચયથી આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન મળ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. 17 દિવસ શ્રમિકોએ ટનલમાં કેવી રીતે કાઢ્યા તે અંગે પણ પીએમ મોદીએ પૂછ્યું હતું.  


માનવી શક્તિનો કરાયો ઉપયોગ!

હવે આખી ઘટના અને ઓપરેશન જિંદગી પર નજર કરીએ તો ગઈકાલે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાથી આવેલું ઓગર મશીન તૂટી ગયા બાદ રેટ માઈનર્સે બાકીનો કાટમાળ ખોદી કાઢ્યો હતો અને મંગળવારે મોડી સાંજે તમામ કામદારોને પાઇપ વડે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનની દુનિયાભરના મીડિયામાં ચર્ચા થઈ રહી છે. જ્યાં મશીનો નહીં પણ માણસોએ જીત મેળવી છે. અહીં સુરંગ તોડવામાં યાંત્રિક શક્તિ ખલાસ થઈ ગઈ પછી માનવની હિંમત કામમાં આવી. મહત્વનું છે કે બહાર આવ્યા બાદ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકોને રાખવામાં આવ્યા છે ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.