Ram Mandir Pran Prathistha પહેલા PM Modiએ શેર કર્યો ઓડિયો મેસેજ, કહ્યું પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનવું સૌભાગ્ય છે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-12 11:31:11

22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું. ભક્તોમાં આને લઈ વિશેષ ઉત્સાહ છે. પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક ઓડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે તે 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. 

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખો ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં આ ભવ્ય કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ મહોત્સવ પહેલા એક ઓડિયો ક્લીપ બહાર પાડી છે. વડાપ્રધાને જણાવ્યું કે 11 દિવસનો વિશેષ અનુષ્ઠાનની  શરૂઆત તે  કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે.   


11 દિવસ માટે પીએમ મોદી કરવાના છે અનુષ્ઠાન 

વધુમાં તેમણે કહ્યું કે 'એ સપનું જે ઘણી પેઢીઓએ વર્ષોથી તેમના હૃદયમાં રાખ્યું છે. તેની સિદ્ધિ સમયે મને હાજર રહેવાનો મોકો મળી રહ્યો છે. જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની ઉપાસના કરવા માટે આપણે પોતાની અંદર દૈવી ભાવના જાગૃત કરવી પડશે. આ માટે શાસ્ત્રોમાં ઉપવાસ અને કડક નિયમો જણાવવામાં આવ્યા છે. તે મુજબ હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.