PM મોદી એ સભામાં કહ્યું "મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે."


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 16:27:41

"ચૂંટણી ભાજપ નથી લડતું, આ ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર પણ નથી લડતું, પરંતુ ગુજરાતની જનતા લડે છે"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે આજે કપરાડામાં જનસભા સંબોધતા કહ્યું  " મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે. હું આ વખતે મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્રના રેકોર્ડ ભુપેન્દ્ર તોડવા માંગુ છું. જેમાં તમે બધા મારો સાથ આપશો. આ વખતે પણ ગુજરાતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે. આ વખતે પણ જનતા જનાર્દન ચૂંટણીનો વાવટો લઇને નિકળી પડ્યાં છે. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો 6 કરોડ ગુજરાતીઓ લડી રહ્યા છે."


" ભૂકંપ પછી બધાને લાગતું હતું કે આ મોતની ચાદર ઓઢીને સુતેલું છે પરંતુ આપણે હાથ ફેલાવીને ઉભા રહીએ તેવા નથી હાથ હલાવીને પ્રાપ્ત કરનારા લોકો છીએ. આપણા ગુજરાતમાં ધોમધખતો તાપ હોય અને વિજળી ના વલખા હોય તે સમયે અમે ભીક્ષા માંગતા હતા અને કહેતા તે તમારી દિકરીને ભણાવવાનું વચન આપો. દરેક વિસ્તારની બહેનો ભણે તે માટેનું બીડુ ઉઠાવ્યું. આજે એ દિકરીએ ગુજરાતનું નામ રોશન કરી રહી છે."


આદિવાસી વિકાસની વાત કરતાં કહ્યું ....

 "આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો બદલાવ આજે પરિવર્તન આવ્યું છે. આ પ્રગતીના નવા નવા સોપાન સર થઇ રહ્યા છે. એટલા માટે મારા આદિવાસી ભાઇઓ બહેનો પુરી તાકાતથી બોલી રહ્યા છે કે આ ગુજરાત ગરવી ગુજરાત છે. મોદીનું ગુજરાત છે. ભાઇઓ બહેનો યાદ કરો વિજળી પાણીની શું સ્થિતિ હતી. લોકો 6 વાગ્યા પહેલા જમવા માટે મજબુર હતા પરંતુ આજે 24 કલાક વિજળી ઘરે ઘરે છે. આદિવાસી દિકરા દિકરીઓ મોડી રાત્રે પણ ભણે છે"


"વડાપ્રધાન મોદીએ નવો નારો આપ્યો- “આ ગુજરાત મેં બનાવ્યું છે.”

આ જનસભામાં PM નરેન્દ્ર મોદીએ નવો નારો આપ્યો "આ ગુજરાત મે બનવ્યું છે " અને સૌથી વધુ વાર બોલાયું છે .. અને કહ્યું કે આ ચૂંટણીમાં ગુજરાત અને ભાજપને મારો જેટલો સમય જોતો હોય એટલો સમય હું આપીશ ......



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.