અમેરિકાના પ્રવાસે પીએમ મોદી, મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓ સાથે કરી વાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-21 10:04:09

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકા પ્રવાસે છે. ભારત અને અમેરિકાના સંબંધો વિકસે તેના માટે આ વિદેશ સફર છે. ભારતના પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક જીલ બાઈડનને મળવાના છે. આ સિવાય અનેક ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓની પણ મુલાકાત લેવાના છે. જે દરમિયાન તેમણે ઈલોન મસ્ક જેવા અનેક લોકો સા થે મુલાકાત કરી હતી, તે દરમિયાન અમેરિકાના લોકોએ ભારતમાં નિવેશ કરવા વગેરે વિષયો પર વાત કરી હતી.

  

ટ્વિટરના સીઈઓ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના ઈલોન મસ્ક સાથે વાત કરી હતી ત્યારે ઈલોન મસ્કે કહ્યું હતું કે, હું મોદીનો ચાહક છું. હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારત પાસે વધુ વચનો છે. PM ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે અમારી સાથે વાતચીત કરી રહ્યા છે. સૌર ઊર્જા રોકાણ માટે ભારત શ્રેષ્ઠ છે. હું આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું કામચલાઉ આયોજન કરું છું. 

પીએમને મળ્યા પોલ રોમર 

નોબેલ પુરસ્કાર વિજેતા પોલ રોમર પીએમને મળ્યા ત્યારે તેમણે  કહ્યું હતું કે, એક સારો દિવસ એ છે જ્યારે હું કંઈક શીખું છું અને ભારત શું કરી રહ્યું છે તે મને ઘણું શીખવા મળે છે. આધાર કાર્ડ જેવા કાર્યક્રમો દ્વારા ઓથેન્ટીકેશનના મોરચે ભારત વિશ્વને રસ્તો બતાવી શકે છે, PM એ ખૂબ જ સારી રીતે રજૂ કર્યું. તે શહેરીકરણ કોઈ સમસ્યા નથી. તે એક તક છે. હું આને સૂત્ર તરીકે લઉં છું.


નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના લેખક અને જાણીતા ચિંતક નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા હતા. ત્યારે તાલેબે પ્રધાનમંત્રીને કહ્યું હતું કે, કોવિડ પ્રત્યેના પ્રતિભાવ અને ભારતે તેની સાથે કેવી રીતે ખૂબ જ અસરકારક રીતે વ્યવહાર કર્યો છે તે બદલ હું ભારતની પ્રશંસા કરું છું. પીએમ સાથે જોખમ લેવા અને વિરોધી નાજુકતા અંગે ચર્ચા કરી. 

નીલ ડિગ્રાસ ટાયસન સાથે પીએમ મોદીએ કરી મુલાકાત 

લોકપ્રિય એસ્ટ્રો ફિઝિસિસ્ટ નીલ ડિગ્રાસ ટાયસન સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. ભારતના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ ટાયસને કહ્યું હતું કે, પીએમ મોદી માટે આકાશ પણ સીમા નથી, વૈજ્ઞાનિક રીતે વિચારશીલ એવા નેતા સાથે સમય પસાર કરીને મને આનંદ થયો, વિશ્વના ઘણા નેતાઓ માટે પ્રાથમિકતાઓ સંતુલિત હોઈ શકે છે પરંતુ વડા પ્રધાન મોદી ઉકેલો સહિત ઘણી બાબતોની કાળજી રાખે છે.


પ્રખ્યાત રોકાણકાર અને વિશ્લેષક રે ડાલિયો પણ પીએમને મળ્યા હતા. તેમણે કહ્યું હતું. ભારતની ક્ષમતા પ્રચંડ છે અને તમારી પાસે હવે એક સુધારક છે જે પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને વડાપ્રધાન મોદી એવા સ્થાન પર છે જ્યાં ઘણી તકો ઊભી થશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે