કર્ણાટકમાં મળેલી વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ, કહ્યું 'તેમનો એક જ એજન્ડા- પરિવાર બચાવો- ભ્રષ્ટાચાર વધારો'


  • Published By :
  • Published Date : 2023-07-18 13:05:27

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કર્ણાટક ખાતે વિપક્ષી એકતા બેઠકનું આયોજન થયું છે જેમાં 26 પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આજે બેઠકનો બીજો દિવસ છે. ચાર વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ બેંગ્લુરૂ ખાતે ઉપસ્થિત છે. ત્યારે આ બેઠક પર પીએમ મોદીએ કટાક્ષ કર્યો છે. 

વિપક્ષી એકતા બેઠક પર પીએમ મોદીનો કટાક્ષ!

વિપક્ષની એકતા બેઠક પર કટાક્ષ કર્યો છે ઉપરાંત  પીએમ મોદી આ બેઠકને ભ્રષ્ટાચારી સંમેલન પીએમ મોદીએ જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે  આ લોકો દેશની લોકશાહી અને બંધારણને બંધક બનાવવા ઈચ્છે છે. તેમના માટે હું એટલું જ કહેવા માંગુ છું - નફરત છે, કૌભાંડો છે, તુષ્ટિકરણ છે, મન મેલું છે, દેશ દાયકાઓથી પરિવારવાદની આગમાં સળગી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમણે અમને 2024માં પાછા લાવવાના છે. માટે ભારતની દુર્દશા માટે જે લોકો જવાબદાર છે તેમણે પોતાની દુકાનો ખોલી દીધી છે. 24 માટે 26 રાજકીય પક્ષો પર તે ખૂબ જ યોગ્ય છે. તેમનો એક જ એજન્ડા છે, પરિવાર બચાવો અને ભ્રષ્ટાચાર વધારો. તેના માટે પરિવાર પ્રથમ છે, દેશ બાદમાં છે. ન તો ખાતા કે ન તો વહી, પરિવાર જે કહે છે તે જ સાચું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.