મતદાન કર્યા પછી PM Modiએ મતદાતાઓને આપ્યો સંદેશ, મતદાતાઓને અપીલ કરતા શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-05-07 08:41:03

દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું છે. મતદાન કર્યા પછી પીએમ મોદીએ મતદાતાને અપીલ કરી છે. મતદાન આપ્યા બાદ તેમણે કહ્યું કે "ભારતની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી વ્યવસ્થાપન એ વિશ્વની લોકશાહીઓ પાસેથી શીખવા જેવું ઉદાહરણ છે. વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓએ કેસ સ્ટડી કરવી જોઈએ. લોકશાહીની ઉજવણી થઈ રહી છે... હું ફરીથી દેશવાસીઓને કહું છું કે મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારની ઉજવણી કરો..

ક્યાં થઈ રહ્યું છે મતદાન? 

મહત્વનું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પીએમ મોદી, અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ ગુજરાત આવ્યા છે.. ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરવાના છે.. દેશની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ છે..  ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14 બેઠકો પર મતદાન થવાનું છે... છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 


કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ આજે નક્કી થશે

મહત્વનું છે કે આ ચૂંટણીમાં અનેક કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ નક્કી થવાનું છે... અમિત શાહ તે ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે, તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના સીટથી લડી રહ્યા છે. મનસુખ માંડવિયા ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય નારાયણ રાણે રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. એસપી સિંહ બેઘલ આગરા સીટથી લડી રહ્યા છે. તે સિવાય પરષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય દેવુસિંહ ચૌહાણ ખેડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય ભગવંત ખુબા બિદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ઉપરાંત પ્રહલાદ જોષી ધારવાડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.