Banaskanthaમાં PM Modiનો પ્રચાર, બનાસકાંઠાથી BJPનો માહોલ સેટ કરવાની શરૂઆત કરી! અહમદ પટેલને કર્યા યાદ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 18:47:29

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે... ગુજરાતમાં લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે...આજે અને આવતી કાલે પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. બનાસકાંઠામાં પીએમ મોદીએ જનસભા સંબોધી હતી.. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી માટે તેમણે પ્રચાર કર્યો હતો.. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધન વિશે અને કોંગ્રેસ વિશે અનેક વાતો કરી હતી...

બનાસકાંઠામાં પીએમ મોદીની જંગી સભા! 

પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત આવ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં તેઓ પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠામાં સભાને સંબોધતી વખતે તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના સંબોધનની શરૂઆત મા અંબાના નાદ સાથે કરી હતી. પીએમ મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આજે પણ કોંગ્રેસ પાસે મુદ્દા, વિઝન, કોઇ કામ કરવાનો ઉત્સાહ નથી. 2014માં કોંગ્રેસના મુદ્દા હતા કે આ ચાવાળો શું કરશે? તેને ગુજરાતની સમજ છે દેશની શું સમજ છે? કોંગ્રેસની સભામાં મારી મજાક ઉડાડવામાં આવતી હતી.  


કોંગ્રેસ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર! 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.. તેમણે કહ્યું કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. દિલ્હીમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધ કર્યું છે. અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ભરુચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યુ છે. કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. કોંગ્રેસના લોકો ઘોષણા કરે, અનામતને હાથ નહીં લગાવીએ. કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન નથી. કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી... તે સિવાય તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.