વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ કર્યું સંબોધન! પર્યાવરણને લઈ ભારત દ્વારા લેવાતા પગલા અંગે કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-05 16:54:10

દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાયવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પર્યાવરણમાં થતાં ફેરફાર અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 


પર્યાયવરણ દિવસ નિમિત્તે પીએમનું સંબોધન!

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન માટે સ્પષ્ટ રોડમેપ સાથે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે જો ભારતે ટેલિકોમ નેટવર્કને 4G અને 5G સુધી વિસ્તરણ કર્યું છે, તો તેણે તેના વન કવરને પણ સમાન સ્તર સુધી વધાર્યું છે. લોકોને સંબોધતા તેમણે કહ્યું- 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 



પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો થીમ પર થઈ રહી છે ઉજવણી!

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ પ્લાસ્ટિકને લઈને છે. આ વખતે તેનું સ્લોગન પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો પર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પ્લાસ્ટિક પ્રદુષણથી ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણથી અસરગ્રસ્ત રહ્યું છે. પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાયવરણને ખુબ નુકસાન પહોંચે છે. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પીએમે પોતાના સંબોધન દરમિયાન કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું- 'વર્ષ 2018માં ભારતે પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવા માટે બે સ્તરે કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં એક તરફ અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ પ્લાસ્ટિકના કચરાનું રિસાઇકલ કરવું ફરજિયાત બનાવ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.