PM મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલા 8 ચિત્તા છોડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:08:21

નામિબિયાથી આઠ ચિત્તાઓને ખાસ કાર્ગો પ્લેન દ્વારા ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા. આ પછી તેઓને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કિનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડી દીધા હતા.

PM મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયામાંથી 8 ચિત્તા છોડ્યા છે. પીએમ મોદીએ આ ચિત્તાઓને પાંજરાના દરવાજા ખોલીને જંગલમાં છોડી દીધા હતા. 

 


અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આઠ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. તેમને નામિબિયાથી 'પ્રોજેક્ટ ચિતા'ના ભાગરૂપે ભારત લાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામિબિયાથી ચિત્તાને છોડ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આનાથી ભારતની પ્રકૃતિની પ્રેરણા ઝડપથી જાગૃત થશે.


Image

ચિત્તા જોવા માટે થોડા મહિનાનો સમય આપવો પડશે : PM

પીએમ મોદીએ કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓને જોવા માટે લોકોએ ધીરજ બતાવવી પડશે અને થોડા મહિના રાહ જોવી પડશે. આ ચિત્તા આ વિસ્તારમાંથી અજાણ્યા મહેમાન તરીકે આવ્યા છે. કુનો નેશનલ પાર્કને ચિત્તાઓનું ઘર બનાવવા માટે આપણે તેમને થોડા મહિના આપવા પડશે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.