Andhra Pradeshના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા PM Modi! પરંપરાગત પોષાકમાં કરી પૂજા-અર્ચના, PM Modiએ લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-27 13:25:57

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. પાંચમાંથી ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રવિવારે તેલંગાણામાં અનેક જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી આજે સવારે વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. પારંપરિક પોષાકમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી હતી. ત્યાં દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  

વેંકટેશ્વર મંદિરના પીએમ મોદીએ કર્યા દર્શન 

તેલંગાણમાં થોડા દિવસો બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેલંગાણામાં જનસભાને સંબોધિત કર્યા બાદ રવિવારે પીએમ મોદી આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. તિરૂપતિ નજીક આવેલા એરપોર્ટ પર તે ઉતર્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમવાર સવારે પીએમ મોદી તિરુમાલામાં આવેલા વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગોનો વીડિયો શેર કરાયો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.