પુણેના લવાસામાં બનશે PM મોદીની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, જાણો શું છે પ્રતિમાની વિશેષતા


  • Published By :
  • Published Date : 2023-08-02 18:27:38

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પુણેના લવાસામાં બનાવવામાં આવશે. આ પ્રતિમા 190-200 મીટરની ઉંચાઈ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. પુણેના લવાસા વિસ્તારને પ્રવાસીઓની પહેલી પસંદ માનવામાં આવે છે. મોદીની પ્રતિમાનું અનાવરણ 31 ડિસેમ્બર 2023ના રોજ અથવા તે પહેલા કરવામાં આવે તેવી શક્યતા છે. ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ(DPGC)ના વડા અજય હરિનાથ સિંહના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ઈઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.


PM મોદીના પ્રયાસોને સમર્પિત કરાશે પ્રતિમા


હરિનાથ સિંહે કહ્યું કે આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રની અખંડ એકતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને સમર્પિત કરવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ લવાસા સ્માર્ટ સિટી માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતાં, આ ભવ્ય પ્રતિમાનું વિઝન હવે વાસ્તવિકતા બનવાની નજીક છે.


મ્યૂઝિયમ, સ્મારક બગીચો પણ બનશે


DPGCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લવાસા, જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે, ત્યાં એક મ્યૂઝિયમ, એક સ્મારક બગીચો, મનોરંજન કેન્દ્ર અને એક એક્ઝિબિશન હોલ હશે જે દેશના વારસા અને નવા ભારતની આકાંક્ષાઓને પ્રદર્શિત કરશે. એક્ઝિબિશન હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને સિદ્ધિઓનું પ્રદર્શન હશે. આ સાથે, તે નવા ભારતના નિર્માણમાં તેમના દ્વારા આપેલા યોગદાનને પણ પ્રદર્શિત કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.