PM Modiએ સોશિયલ મીડિયા પર રાખ્યો તિરંગાનો DP, લખ્યું દેશ સાથે ગાઢ સંબંધ બનાવવામાં આ પ્રયાસ મદદ કરશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 11:58:45

બે દિવસ પછી 15મી ઓગસ્ટ આવી રહી છે. 15મી ઓગસ્ટ એટલે એ દિવસ કે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી હતી. ગુલામીથી ભારત આઝાદ થયો હતો. આઝાદી માટે અનેક વીર સપૂતોએ, વીરાંગનાઓએ, શહીદોએ પોતાના જીવની આહુતિ આપી હતી. તેમને આ દિવસો દરમિયાન યાદ કરવામાં આવે છે. ત્યારે ગયા વર્ષે પણ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત 15 ઓગસ્ટ સુધી ઘરમાં લોકો તિરંગા રાખે. લોકોમાં દેશભક્તિ જાગે તે માટે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર રાખવામાં આવતા ડીપીને ચેન્જ કર્યું છે. પીએમ મોદીએ તિરંગાનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખ્યો છે અને આહ્વાન કર્યું છે બને તેટલા લોકો તિરંગાનું પ્રોફાઈલ પિક્ચર રાખે. દેશ સાથે આપણો સંબંધ ગાઢ થાય તેવા પ્રયત્નો કરીએ.           

બે દિવસ પૂરતી થઈ ગઈ છે આપણી દેશભક્તિ!   

સામાન્ય રીતે જેમ જેમ 15મી ઓગસ્ટ નજીક આવતી હોય છે તેમ તેમ આપણી અંદર રહેલી દેશભક્તિ જાગૃત થતી હોય છે. 15મી ઓગસ્ટ તેમજ 26 જાન્યુઆરીના રોજ આપણી અંદર રહેલી દેશભક્તિ પોતાની ચરમસીમાએ પહોંચી જતી હોય છે. જે બે દિવસો દરમિયાન આપણામાં અચાનક એવી દેશભક્તિ જાગી જાય કે આપણને વિરોના બલિદાનો અચાનક યાદ આવી જાય. દેશભક્તિના ગીતો આપણા હોઠો પર ચાલતા હોય. વ્હોટએપના ડીપી બદલાઈ જાય, સ્ટેટસમાં દેશભક્તિના ગીતો મૂકવામાં આવે. દેશ ભક્તિની ફિલિંગ આપણી અંદર ચરમસીમાએ પહોંચી જાય. 


જો આપણે આપણી ફરજ સારી રીતે નિભાવીએ એ પણ દેશભક્તિ છે..

ત્યારે પ્રશ્ન એ થાય કે શું સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ પિક્ચર બદલવાથી દેશ ભક્તિ જાગશે? બે દિવસ સુધી આપણી અંદર દેશભક્તિ જાગે પરંતુ દિવસ પૂર્ણ થતાં આપણી અંદર જાગેલી દેશભક્તિ ક્યાંય ખોવાઈ જાય છે. જરૂર છે એક દિવસ માટે જાગેલી દેશભક્તિને હંમેશા માટે જાગૃત રાખવાની. આ દેશ આપણો છે અને આપણે આ દેશના નાગરિક છીએ એવું આપણે વિચારીએ છીએ પરંતુ જ્યારે આપણી ફરજ નિભાવવાની વાત આવે ત્યારે ચૂકી જઈએ છીએ. સવાલ કરવો સારો છે પરંતુ ત્યારે જ્યારે આપણે બધી જવાબદારી સારી રીતે નિભાવી હોય. માત્ર બે દિવસની દેશભક્તિથી કંઈ બદલાવ નહીં આવે, જ્યાં સુધી આપણી અંદર રહેલી દેશભક્તિ સ્થાયી નહીં થાય. ખોટું થતું હોય ત્યારે આપણે ભલે અવાજ ન ઉઠાવીએ, પરંતુ જો આપણે પોતાને ખોટું કરતા અટકાવીએ એ પણ એક જાતની દેશભક્તિ છે. આપણી ફરજો સારી રીતે, ઈમાનદારીથી નિભાવીએ તો પણ એક પ્રકારનો દેશપ્રેમ જ છે.    



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.