PM મોદી 36 કલાકમાં 7 શહેરોમાં આયોજીત 8 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, 5300 કિમીનો હશે આ પ્રવાસ


  • Published By :
  • Published Date : 2023-04-22 16:38:46

પ્રધાનમંત્રી મોદી 24 એપ્રીલથી બે દિવસના પ્રવાસ પર જશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન 36 કલાકમાં 7 રાજ્યોમાં અલગ-અલગ 8 જેટલા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ તેમના આ પ્રવાસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5 હજાર કિમીનું અંતર પુરૂ કરશે. પીએમ મોદી દિલ્હીથી પહેલા મધ્ય પ્રદેશનો પ્રવાસ કરશે, ત્યાર બાદ તે કેરળની મુલાકાતે જશે અને ત્યાંથી તે પશ્ચિમ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો થઈને દિલ્હી પરત ફરશે.  


MPમાં કાર્યક્રમમાં હાજર રહેશે


પીએમ મોદી સવારે 24 એપ્રીલથી તેમની યાત્રાનો શુભારંભ કરશે. પીએમ મોદીના આ લાંબા કાર્યક્રનો પહેલો પડાવ મધ્ય પ્રદેશનું ખજુરાહો હશે ત્યાંથી તે રીવા પહોંચશે. રીવામાં આયોજીત રાષ્ટ્રિય પંચાયત રાજ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રીવાથી તે 200 કિમીની યાત્રા કરીને તે ખજુરાહો પરત ફરશે.  પીએમ મોદી ત્યાર બાદ કેરળના કોચી જશે, અહીં તે 1700 કિમીની હવાઈ યાત્રા કરીને યુવમ કોન્ક્લેવમાં ભાગ લેશે.


તિરૂવનંતપુરમ અને દમણ પણ જશે


પીએમ મોદી કોચીથી તિરૂવનંતપુરમનો પ્રવાસ કરશે, અહીં પ્રધાનમંત્રી વંદે ભારતને લીલી ઝંડી બતાવશે, અને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. અહીં તે સુરતના માર્ગે લગભગ  1570 કિમીનું અંતર પુરૂ કરીને પીએમ મોદી સેલવાસ પહોંચશે. જ્યાં તે NAMO મેડિકલ કોલેજની મુલાકાત લેશે. તે ઉપરાંત તે અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.  


પ્રવાસ માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે


આ પછી પીએમ મોદી દેવકા સીપ્રિન્ટના ઉદ્ઘાટન માટે દમણ જશે. તેઓ અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને સુરત આવશે. તેમની યાત્રામાં વધુ 940 કિમીનો ઉમેરો કરીને પીએમ મોદી સુરતથી દિલ્હી પરત આવશે. આમ વડાપ્રધાન 5,300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!