લોકસભા 2024 પહેલા PM મોદીની ગેરંટી-" મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બનશે"


  • Published By :
  • Published Date : 2023-07-26 22:46:52

દેશના રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ સહિતના પક્ષોએ ભાજપનો મુકાબલો કરવા માટે 'INDIA'ગઠબંધન બનાવ્યું છે. પીએમ મોદીએ પણ વર્ષ 2024ની ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ITPO કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનશે. 


કાર્યક્રમમાં PM મોદીએ શું કહ્યું?


100 વર્ષ પહેલા જ્યારે ભારત આઝાદીની લડાઈ લડી રહ્યું હતું ત્યારે ત્રીજો દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. એ જ રીતે આ સદીનો ત્રીજો દાયકો પણ એટલો જ મહત્વનો છે.


હું ભારતીયોને કહેવા માંગુ છું કે, 2024 પછી દેશની પ્રગતિની ગતિ વધુ ઝડપી થશે. તમે તમારા બધા સપના સાકાર થતા જોશો.


મારા ત્રીજા કાર્યકાળમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં ઊભું રહેશે, અને આ મોદીની ગેરંટી છે.


મારા પ્રથમ કાર્યકાળમાં ભારત અર્થતંત્રની દૃષ્ટિએ 10માં સ્થાને હતું. મારા બીજા કાર્યકાળમાં, તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ ટ્રેક રેકોર્ડના આધારે, હું સુનિશ્ચિત કરું છું કે મારી ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના ટોચના ત્રણ દેશોમાં હશે.


દરેક ભારતીયને ભારત મંડપમ પર ગર્વ છે. તે ભારતની ઈચ્છાનું પ્રતિક છે અને નવા ભારતનું પ્રતિબિંબ છે.


ભારત ગરીબી દૂર કરી શકે છે અને તેની પાછળનો ખ્યાલ એ છે કે નીતિ આયોગના આંકડા દર્શાવે છે કે પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું કહેવું છે કે ભારતમાં ગરીબી ખતમ થવાના આરે છે.


સૌથી મોટું કન્વેન્શન સેન્ટર દેશને સમર્પિત


વડાપ્રધાન મોદીએ સૌથી મોટું કન્વેન્શન સેન્ટર દેશને સમર્પિત કર્યું. આ સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે. 2700 કરોડ રુપિયના ખર્ચે આ પરિસર તૈયાર કરાયું છે. વડાપ્રધાને ઉદ્ઘાટન પહેલા પ્રગતિ મેદાન પહોંચ્યા અને ત્યાં ડ્રોન ઉડાવીને કન્વેન્શન સેન્ટરનું નામ દેખાડ્યું. સપ્ટેમ્બરમાં ભારતના નેતૃત્વમાં જી-20 નેતાઓની બેઠક મળશે, ત્યારે તેમની યજમાની માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. IECC ભારત મંડપમના ઉદ્ઘાટના કાર્યક્રમમાં રાજનેતાઓઓથી લઈને ફિલ્મી સિતારાઓ પણ પહોંચ્યા. કાર્યક્રમમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, અભિનેતા આમિર ખાન ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં IECC કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન દરમિયાન સ્મારક ટિકિટ અને સિક્કા પણ બહાર પાડ્યા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!