PM Modiને જન્મદિનની ખાસ ભેટ, Suratના આર્ટિસ્ટએ 7200 હીરામાંથી તૈયાર કરી તસવીર, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-09-05 17:19:32

PM નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, આગામી 17 સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી 73 વર્ષના થશે. ભાજપના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને ખાસ બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલાએ હીરાજડીત તસવીર તૈયાર કરી છે.  વિપુલભાઈ PM મોદીની 7200 હીરામાંથી બનેલી આ  તસવીર તેમના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માગે છે.


હીરાજડીત તસવીર બનાવતા 3 મહિના લાગ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્નીને ડાયમંડવાળો ક્રાફ્ટ આપ્યો હતો ત્યારે વિપુલભાઈને PMની આ પ્રકારની તસવીર બનાવવાની ઇચ્છા થઇ હતી. વિપુલભાઈને આ હીરાજડીત તસવીર બનાવવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. જેમાં ચાર પ્રકારના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે તેમણે આ તસવીર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો તે જણાવ્યું નથી.


અગાઉ પણ રીયલ ગોલ્ડ જરીથી બનાવી હતી PM મોદીની તસવીર


અગાઉ પણ વિપુલભાઈ જેપીવાલાએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં ખાસ ગોલ્ડ જરીમાં પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી હતી. આ તસ્વીરમાં 10 થી 12 ગ્રામ ગોલ્ડ જરી ઉપયોગમાં લેવામાં આવી હતી. તસવીર બનાવવા ખાસ 23.5 કેરેટ ગોલ્ડની જ જરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.