ISROની મુલાકાતે PM Modi, ગગનયાન મિશનના ચારેય એસ્ટ્રૉનૉટ્સના નામ આવ્યા સામે, ભારતીયો માટે પીએમ મોદીએ કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2024-02-27 16:26:16

ભારત વિજ્ઞાન ક્ષેત્રમાં પણ સતત આગળ વધી રહ્યો છે. છેલ્લા થોડા સમયની અંદર ભારત દ્વારા એવા અનેક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા જેને કારણે ભારતના વખાણ દુનિયામાં થવા લાગ્યા.! આ બધા વચ્ચે આજે પીએમ મોદી કેરળના તિરૂવનંતપુરમ પહોંચ્યા હતા.પીએમ મોદીએ ગગનયાનના ચાર અવકાશયાત્રીઓને અવકાશયાત્રીની પાંખો એટલે કે એસ્ટ્રૉનૉટ્સ વિંગ્સ પહેરાવ્યા હતા. જે ચાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. પીએમ મોદીએ દુનિયા સામે ભારતના અંતરિક્ષયાનીઓનો પરિચય કરાવ્યો. 

ગગનયાન માટે અવકાશયાત્રીના નામ જાહેર કરાયા! 

પીએમ મોદીએ આજે તિરૂવનંતપુરમ સ્થિત ઈસરોના સૌથી મોટા તેમજ મહત્વપૂર્ણ કેન્દ્ર વીએસએસસી એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની સાથે સાથે મુખ્યમંત્રી, રાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. પીએમની સાથે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ પણ હાજર હતા. પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ નામોની જાહેરાત કરી જે અંતરિક્ષમાં જવાના છે. ઈસરોના ગગનયાન મિશન માટે ચાર એસ્ટ્રોનટના નામની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. જેમને અંતરિક્ષમાં મોકલવામાં  આવી રહ્યા છે તે ચારેય અવકાશી તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવવામાં માહેર છે.  


40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે - પીએમ મોદી 

ઈસરોની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સૌ એક ઐતિહાસિક સફરના સાક્ષી બની રહ્યા છીએ. દેશને પહેલીવાર પોતાના ચાર ગગનયાન યાત્રીઓથી પરિચય થયો. આ માત્ર ચાર નામ અને ચાર લોકો નથી, આ 140 કરોડ આકાંક્ષાઓને સ્પેસમાં લઈ જનારી ચાર શક્તિઓ છે. 40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે. પરંતુ આ વખતે ટાઈમ પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે