વૈશ્વિક મંદીના ભણકારા, ભારત સરકાર સતર્ક, પીએમ મોદી કરશે ઉચ્ચ કક્ષાની મીટિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:16:39

દુનિયાભરમાં વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે આવનારી વૈશ્વિક મંદીની અસર ભારત પર પણ થશે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ભારત સરકાર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ અંગે મહત્વની બેઠક યોજવાના છે. વાસ્તવમાં, આ મહિનાના અંતમાં, પીએમ મોદી અર્થતંત્ર અને વાણિજ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મંત્રી પરિષદ અને તમામ સચિવોને મળી શકે છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.


ભારત પર મંદીની થઈ શકે ગંભીર અસર 


વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્રીય બેંકો દ્વારા કડક નાણાકીય નીતિ વચ્ચે વિશ્વ આગામી વર્ષે ગંભીર મંદીનો સામનો કરી શકે છે. આ કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજશે. મીડિયા અહેવાલ મુજબ એક સુત્રએ કહ્યું કે લાંબા સમય સુધી આ પ્રકારની બેઠકોમાં ક્યારેય અર્થવ્યવસ્થા અને વાણિજ્ય પર ચર્ચા થઈ નથી. જોકે આ બેઠક વિશ્વ બેંકના નવા રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં થવા જઈ રહી છે.


આગામી 28 કે 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે મીટિંગ 


આ બેઠકના ઉદ્દેશ્યોમાં પ્રાથમિકતા ક્ષેત્રો અને રાજકીય કાર્યોને ઓળખવાનો પણ સમાવેશ થાય છે. એવી આશા છે કે પીએમ મોદીની આ બેઠક મંત્રી પરિષદ અને તમામ સચિવો સાથે 28 અથવા 30 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદી બંને ક્ષેત્રો (અર્થતંત્ર અને વાણિજ્ય)ના પરિણામોની સ્થિતિની વિગતો લઈ શકે છે. ઉપરાંત, વિકાસ અને નવા રોકાણોને વધુ પ્રોત્સાહિત કરવા માટે નવા લક્ષ્યો અને સમયમર્યાદા નક્કી કરી શકાય છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મંત્રીઓ અને આ બેઠકમાં ભાગ લેનારા સચિવોને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મુદ્દાઓ પર બેઠક યોજવા માટે કોઈ કાર્યસૂચિ નક્કી કરવામાં આવી નથી.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.