PM મોદી અને મહંત સ્વામીના હસ્તે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ થયો શુભારંભ


  • Published By :
  • Published Date : 2022-12-14 20:40:09

જે દિવસની BAPSના હરિભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ પ્રમુખ સ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંતસ્વામીના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા-અર્ચનાથી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ શરૂઆત કરી છે. આ ભવ્ય પ્રસંગે પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશ-વિદેશના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


 PMએ  પ્રમુખ સ્વામીના ચરણોમાં અર્પી પુષ્પાંજલિ 


મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ PM નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી વંદના પરિસરની પરિક્રમા કરી અને તેમણ વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે. પ્રમુખ સ્વામી મહારાજની દિન ચર્યા વિશેની ઝાંખીનો તેમણે પરિચય મેળવ્યો. તે ઉપરાંત પ્રમુખ સ્વામી નગરમાં તૈયાર કરાયેલા જ્યોતિ ઉદ્યાન જેવી વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી હતી. પીએમ મોદીએ પ્રમુખ સ્વામીની મૂર્તિના ચરણોમાં તેમના ભાવ અને આદર સાથે પુષ્પો અર્પણ કર્યો હતાં તેમજ તેમણે વંદન પણ કર્યા હતા. 


7 સંત દ્વારે જગાવ્યું આકર્ષણ


દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે, એવું આયોજન કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.


દરેકને મળશે નિઃશુલ્ક પ્રવેશ


પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સમય અને ફી વિશે વાત કરીએ તો આ મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.


20 રૂપિયામાં ભોજન,10 રૂપિયામાં નાસ્તો


પ્રમુખ સ્વામી નગરમાં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્સવ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે. 


ફ્રિ પાર્કિંગની સુવિધા


પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ માટે અહીં સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો માટે દરેક પ્રવેશ દ્વાર પાસે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાહન પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નહીં આવે. આ માટે એક એપ પણ તૈયાર કરાઈ છે.  Psm100 એપ એક ગાઈડની ભૂમિકા તરીકે કામ કરશે. જેમાં એક QR કોડ સ્કેન કરતા પાર્કિંગ માટેની જગ્યાની ખબર પડી જશે કોઈપણ માહિતી અને લોકેશન કેટલું દૂર છે જેવી માહિતી પણ એપ દ્વારા મળી જશે. તેની સાથે સાથે સાંજે ચાલતા તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામની માહિતી અને સમય પણ આ એપ્લિકેશન દ્વારા મળી જશે. 


AMTSની 200થી વધુ બસો દોડશે


પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવનારા અમદાવાદના લોકો માટે એક મહિના દરમ્યાન AMTSની 200 થી વધુ બસો દોડશે. 150 બસ પીકઅપ અને ડ્રોપિંગ માટે દોડવામાં આવશે. 15 જેટલા રૂટ ને કવર કરવામાં આવશે. જેમાં 25 જેટલી બસ પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર દોડવામાં આવશે..સાથે જ જો નરોડા નિકોલ જેવા વિસ્તારમાંથી ગ્રૂપમાં આખી બસ બુક કરવામાં આવે તો 4000 રૂપિયાના ખર્ચે બસ સીધી કાર્યક્રમ સ્થળ પર લઇ જવા ને લાવા માટે ફેલાવામાં આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!