કેવડિયા કોલોનીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ઉપસ્થિતિમાં PM મોદીએ મિશન લાઈફ કર્યું લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ તેઓ આપી રહ્યા છે . પ્રવાસના બીજા દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

મિશન લાઈફનો મંત્ર લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ - પીએમ  

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે પર્યાવરણ અનુકુળ જીવન એ જ મિશન લાઈફનો મંત્ર છે. જીવન શૈલી બદલીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ધરતીની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. ક્લાયમેટ ચેનજ જેવી વૈશ્વિક આપદા સામે લડવામાં ભારત સૌથી આગળ છે.


જિંદગીમાં થોડો ફેરફાર લાવી પર્યાવરણની રક્ષા કરી શકાય - પીએમ  

વધુમાં તેમણે કહ્યું કે એક ધારણા બનાવામાં આવી હતી કે આબોહવા પરિવર્તનએ માત્ર નીતિ સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસર અનુભવી રહ્યા છે. કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી કરી દેતા હોય છે, જેનાથી પર્યાવરણને ખરાબ અસર થઈ રહી છે. જીમ જતી વખતે સાયકલનો ઉપયોગ કરવા પણ તેમણે પહેલ કરી છે. આપણી જીવનશૈલીમાં થોડો બદલાવ લાવવાથી ઘણો ફરક પડી શકે છે. આપણું થોકુક પર્યાવરણ માટે ઘણું અસરકારક સાબિત થઈ શકે છે.

 

શું છે LiFE?

ગયા વર્ષે એટલે કે 2021માં જ્યારે 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ મળી હતી તે દરમિયાન વડાપ્રધાન મોદીએ આનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે LIFEનો વિચાર રજૂ કર્યો હતો. પીએમએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક સ્તરે આહ્વાન કર્યું હતું. જે બાદ કેવડિયા ખાતેથી આ  મિશનની શરૂઆત થઈ છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.