કેવડિયા કોલોનીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ઉપસ્થિતિમાં PM મોદીએ મિશન લાઈફ કર્યું લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ તેઓ આપી રહ્યા છે . પ્રવાસના બીજા દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

મિશન લાઈફનો મંત્ર લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ - પીએમ  

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે પર્યાવરણ અનુકુળ જીવન એ જ મિશન લાઈફનો મંત્ર છે. જીવન શૈલી બદલીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ધરતીની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. ક્લાયમેટ ચેનજ જેવી વૈશ્વિક આપદા સામે લડવામાં ભારત સૌથી આગળ છે.


જિંદગીમાં થોડો ફેરફાર લાવી પર્યાવરણની રક્ષા કરી શકાય - પીએમ  

વધુમાં તેમણે કહ્યું કે એક ધારણા બનાવામાં આવી હતી કે આબોહવા પરિવર્તનએ માત્ર નીતિ સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસર અનુભવી રહ્યા છે. કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી કરી દેતા હોય છે, જેનાથી પર્યાવરણને ખરાબ અસર થઈ રહી છે. જીમ જતી વખતે સાયકલનો ઉપયોગ કરવા પણ તેમણે પહેલ કરી છે. આપણી જીવનશૈલીમાં થોડો બદલાવ લાવવાથી ઘણો ફરક પડી શકે છે. આપણું થોકુક પર્યાવરણ માટે ઘણું અસરકારક સાબિત થઈ શકે છે.

 

શું છે LiFE?

ગયા વર્ષે એટલે કે 2021માં જ્યારે 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ મળી હતી તે દરમિયાન વડાપ્રધાન મોદીએ આનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે LIFEનો વિચાર રજૂ કર્યો હતો. પીએમએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક સ્તરે આહ્વાન કર્યું હતું. જે બાદ કેવડિયા ખાતેથી આ  મિશનની શરૂઆત થઈ છે.



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.