PM Modiએ Chhattisgarhમાં Congress પર જોરદાર પ્રહારો કર્યા, કહ્યું કે Congress સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ...


  • Published By :
  • Published Date : 2023-11-13 14:18:57

આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એક રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બીજા રાજ્યમાં એટલે કે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી કાઢી રહ્યા છે ઉપરાંત જનસભાને સંબોધી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં પીએમ મોદીએ આજે જનસભાને સંબોધી હતી જે દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપનો ટ્રેક રેકોર્ડ અને ભાજપ દ્વારા બનાવવામાં આવેલ ગેરંટી, ભાજપ જ તેમાં સુધારો કરશે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના એ નેતાઓની વિદાયનો સમય આવી ગયો છે જેમણે તમને 5 વર્ષ સુધી લૂંટ્યા છે.

 

ભૂપેશ બાઘેલ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર  

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારક ચૂંટણી વાળા રાજ્યમાં જનસભાને સંબોધી રહ્યા છે. પીએમ મોદી પોતે આજે ભાજપનો પ્રચાર કરવા માટે છત્તીસગઢ પહોંચ્યા હતા. જનસભાને સંબોધતી વખતે તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. જનસભાને સંબોધતા તેમણે ડબલ એન્જીન સરકારની પણ વાત કરી હતી.   


કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે... 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસની માનસિકતાને ઓખળવી પડશે. આ એ જ કોંગ્રેસ છે જેણે પંચાયતમાંથી સંસદની સરકારો ચલાવી, પરંતુ ઓબીસી સમુદાયને અનામત ન આપી. ઓબીસી કમિશનને દાયકાઓ સુધી બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો ન હતો. મેડિકલ કોલેજોમાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી નથી. પણ મોદીએ તમને આ બધા કામો કરવાની ગેરંટી આપી હતી અને કરી બતાવી પણ છે.  



મોદીની જાતિને પણ કોંગ્રેસ નફરત કરવા લાગી છે - પીએમ મોદી 

મહાદેવ સટ્ટાબાજીનો પણ ઉલ્લેખ પીએમ મોદીએ પોતાના ભાષણમાં કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તમે અહીંયા કોંગ્રેસની હાર પાક્કી કરી દીધી છે. આ સાથે છત્તીસગઢના 30% કક્કાની કારમી હાર પણ નિશ્ચિત છે. એટલે કે કક્કાની વિદાય પણ નિશ્ચિત છે. આજે ચારે બાજુથી સમાચાર આવી રહ્યા છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી માટે ધારાસભ્ય બનવું પણ મુશ્કેલ બની ગયું છે. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે મોદી તમને દરેક સંકટમાંથી મુક્ત કરાવવા માંગે છે. તેથી જ કોંગ્રેસ મોદીને પણ નફરત કરે છે. કોંગ્રેસની આ નફરત એટલી વધી ગઈ છે કે તે મોદીની જાતિને પણ નફરત કરવા લાગી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કોંગ્રેસ મોદીના નામે સમગ્ર ઓબીસી સમુદાયને અપમાનિત કરી રહી છે. કોંગ્રેસ દુર્વ્યવહાર અને સ્ટિંગ માટે ઓબીસી સમુદાયની માફી માંગવાનો પણ ઇનકાર કરી રહી છે. 



Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.