PM મોદીએ સૌરાષ્ટ્રના પ્રખ્યાત સંત કરસનદાસ બાપુ સાથે કરી મુલાકાત, તસવીરો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 15:47:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના સ્ટાર પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી જોરશોરથી પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે સૌરાષ્ટ્રના મતદારોને રીઝવવા માટે જામકંડોરણામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. જો કે તે પહેલા તેમણે જાણીતા સંત કરસનદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી.


PM મોદીની કરસનદાસ બાપુ સાથે મુલાકાત


આજે મંગળવારે PM મોદીએ કરસનદાસ બાપુ સાથે પણ મુલાકાત કરી હતી. પીએમએ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી હતી. કરસનદાસ બાપુ ભેંસાણમાં પરબ ધામના સંત છે. PMની કરસનદાસ બાપુ સાથે ભાવુક મુલાકાતની તસવીરો સામે આવી છે. ગુજરાત ભાજપ દ્વારા પીએમ મોદી અને કરસનદાસ બાપુની મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ જનમેદની સંબોધતા કહ્યુ હતુ કે, મે આજે કરસનદાસ બાપુના આશીર્વાદ લીધા છે.




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.