કર્ણાટકમાં રોડ-શો દરમિયાન યુવક PM મોદીને માળા પહેરાવવા પહોંચી જતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-01-12 19:47:25

આજે એક રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં યોજાયેલા 26માં રાષ્ટ્રિય યુવા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા હતા. હુબલીમાં તેમના સન્માનમાં શહેરમાં રોડ શો યોજાયો હતો ત્યારે આ ઘટના બની હતી. 


PM મોદીને માળા પહેરાવવા દોડ્યો યુવક


કર્ણાટકના હુબલીમાં  યોજાયેલા પીએમ મોદીના રોડ શો દરમિયાન એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માળા પહેરાવવા દોડી આવ્યો હતો. યુવક PM મોદીને હાર પહેરાવવા માટે  SPGનો સુરક્ષા ઘેરો તોડીને PM મોદી સુધી પહોંચી ગયો હતો. વડાપ્રધાને આ દરમિયાન યુવકના હાથમાંથી માળા લઈ લીધી અને પોતાની ગાડીમાં અન્ય જવાનના હાથમાં આપી દીધી હતી.જો કે PM મોદીના સુરક્ષાકર્મીઓએ તેને સુરક્ષા કમાન્ડરોએ હટાવી લીધો હતો.


પંજાબમાં પણ PM મોદી સાથે બની હતી આવી ઘટના 


અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, જેના કારણે ફિરોઝપુરના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી. જો કે તેને રદ્દ કરવી પડી હતી. PM રેલીના સ્થળે પહોંચી શક્યા ન હતા.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.