PM મોદી યોજવાના છે સમીક્ષા બેઠક, વૈશ્વિક સ્તરે કોરોના કેસ વધતા કરાયું બેઠકનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-22 11:25:45

દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ આવનાર સમયમાં કોરોના કેસમાં વધારો થઈ શકે છે. ત્યારે કોરોના બેકાબૂ બને તે પહેલા ભારત સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોરોનાને લઈ બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના હજી ગયો નથી. વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમીક્ષા બેઠક કરવાના છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠક કરવાના છે. 


બપોરે પીએમ કરવાના છે સમીક્ષા બેઠક 

ચીનમાં, જાપાનમાં કોરોના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાને લઈ લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાને લઈ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે ભારત સરકાર સર્તક થઈ ગઈ છે. બુધવારે મનસુખ માંડવિયાએ બેઠક કરી હતી. બેઠકમાં દેશમાં હાલ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારે આજે વડાપ્રધાન મોદી વધતા કોરોના કેસને લઈ બપોરના સમયે સમીક્ષા બેઠક યોજવાના છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.